કાન્હાના જન્મોત્સવે જગત મંદિરે દર્શનનો સમય

  • August 31, 2023 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાધીશ મંદિર દ્વારા તા. ૭ અને ૮ કાર્યક્રમ જાહેર કરાયો

દ્વારકાધીશ મંદિર અને વહીવટદાર કચેરી દ્વારા ર૦ર૩ જન્માષ્ટમી પર્વની ઉજવણીને આખરી ઓપ આપવામાં આવ્યો છે, જેના ભાગરુપે તા. ૭ અને ૮ સપ્ટેમ્બરનો વિગતવાર દર્શનના સમયનો અને વિવિધ કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યો છે.
શ્રીજીના મંગલા આરતી દર્શન સવારે ૬ વાગ્યે, મંગલા દર્શન ૬ થી ૮, શ્રીજીના ખુલ્લે પડદ સ્નાન દર્શન ૮ કલાકે, શ્રીજીને સ્નાન ભોગ (દર્શન બંધ) ૧૦ વાગ્યે, શ્રીજીને શ્રૃંગાર ભોગ (દર્શન બંધ) ૧૦ કલાકે, શ્રીજીની શ્રૃંગાર આરતી ૧૧ કલાકે, શ્રીજીનો ગ્વાલ ભોગ (દર્શન બંધ) ૧૧.૧પ કલાકે, શ્રીજીને રાજભોગ (દર્શન બંધ) ૧ર કલાકે, અનોસર (બંધ) ૧ થી પ કલાક સુધી તથા શ્રીજીના દર્શનનો સમય સાંજે ઉત્થાપન દર્શન પ કલાકે, શ્રીજીના ઉત્થાપન ભોગ (દર્શન બંધ) પ.૩૦ થી પ.૪પ કલાકે, શ્રીજીને સંઘ્યા ભોગ (દર્શન બંધ) ૭.૩૦ થી ૭.૪પ કલાકે, શ્રીજીની સંઘ્યા આરતી દર્શન ૭.૪પ કલાકે, શ્રીજીને શયન ભોગ (દર્શન બંધ) ૮ થી ૮.૧૦ કલાકે, શ્રીજીની શયન આરતી દર્શન ૮.૩૦ કલાકે, શ્રીજી શયન અનોસર (દર્શન બંધ) ૯ કલાકે, શ્રીજીના જન્મોત્સવ દર્શન સમય રાત્રે શ્રીજી જન્મોત્સવની આરતી દર્શન ૧ર કલાકે, શ્રીજી શયન (દર્શન બંધ) ૧.૩૦ કલાકે, શ્રીજીના પારણા ઉત્સવ દર્શન ૭ કલાકે, અનોસર (દર્શન બંધ) ૧૦.૩૦ કલાકે, સવારેના ૧૦.૩૦ થી સાંજના પ વાગ્યા સુધી (દર્શન) મંદિર બંધ રહેશે.
શ્રીજીના દર્શનના સમયનો સાંજનો ક્રમ ઉત્થાપન દર્શન પ કલાકે, નિત્યક્રમ મુજબ દર્શન પ થી ૬ કલાકે, શ્રીજીની બંધ પડદે અભિષેક પૂજા (પટ/દર્શન બંધ રહેશે) ૬ થી ૭ કલાકે, શ્રીજીના દર્શન ૭ થી ૭.૪પ કલાકે, શ્રીજીની સંઘ્યા આરતી દર્શન ૭.૪પ કલાકે, શ્રીજીને શયન ભોગ ૮.૧૦ કલાકે, શ્રીજીની શયન આરતી દર્શન ૮.૩૦ કલાકે, શ્રીજી શયન (દર્શન બંધ) ૯.૩૦ કલાકે રાખવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application