કંગનાનો વધુ એક બફાટ : કહ્યું– દેશના પિતા નહીં પુત્ર હોય, બીજેપી નેતાએ પણ કરી ટીકા

  • October 03, 2024 02:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



અભિનેતામાંથી રાજનેતા બનેલી કંગના રનૌત પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તેમના નિવેદનોથી ભાજપ માટે અસહજતાની સ્થિતિ સર્જાઈ છે. તેણીએ બુધવારે ગાંધી જયંતિ નિમિત્તે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને નવો વિવાદ સર્યેા છે. કંગના રનૌતે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર લખ્યું, દેશના પિતા નહીં, પરંતુ દેશના પુત્ર. ધન્ય છે આ ભારત માતાના પુત્રો.
અગાઉ તેમણે ખેડૂતોના વિરોધ પ્રદર્શન પર કરેલી ટિપ્પણીઓને કારણે ભાજપ માટે અસહજતાની સ્થિતિ સર્જી હતી. તેને ટીકાનો સામનો કરવો પડો હતો. કંગનાએ લાલ બહાદુર શાક્રીને તેમની ૧૨૦મી જન્મજયંતિ પર એક પોસ્ટ દ્રારા શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી, ફોલો–અપ પોસ્ટમાં, તેમણે દેશમાં સ્વચ્છતા પર મહાત્મા ગાંધીના વારસાને આગળ ધપાવવાનો શ્રેય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો. હિમાચલ પ્રદેશના મંડીના બીજેપી સાંસદ માટે લાલ બહાદુર શાક્રી અને મહાત્મા ગાંધી પરની પોસ્ટે વધુ એક વિવાદ સર્યેા છે. કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે મહાત્મા ગાંધી પર કંગના રનૌતની ટીકા કરી છે.
શ્રીનેતે કહ્યું કે, ભાજપ સાંસદ કંગનાએ મહાત્મા ગાંધીની જન્મજયંતિ પર આ અભદ્ર કટાક્ષ કર્યેા. ગોડસેના ઉપાસકો બાપુ અને શાક્રીજી વચ્ચે ભેદ પાડે છે. શું નરેન્દ્ર મોદી તેમની પાર્ટીના નવા ગોડસે ભકતને દિલથી માફ કરશે? તેઓ રાષ્ટ્ર્રના પિતા છે, પુત્ર છે અને શહીદ છે. બધાને સન્માનિત કરવા જોઈએ.
પંજાબ ભાજપના વરિ નેતા મનોરંજન કાલિયાએ પણ કંગના રનૌતની ટિપ્પણીની ટીકા કરી હતી. હત્પં ગાંધીજીની ૧૫૫મી જન્મજયંતિ પર કંગના રનૌતની ટિપ્પણીઓની નિંદા કં છું. પોતાની ટૂંકી રાજકીય કારકિર્દીમાં તેણીને વિવાદાસ્પદ નિવેદનો આપવાની આદત પડી ગઈ છે, કાલિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા એક વિડિયોમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, રાજનીતિ તેમનું ક્ષેત્ર નથી. રાજનીતિ એક ગંભીર બાબત છે. બોલતા પહેલા વિચારવું જોઈએ. તેમની વિવાદાસ્પદ ટિપ્પણી પાર્ટી માટે મુશ્કેલી ઊભી કરે છે.
ગત મહિને જ, કંગના રનૌતને ૨૦૨૧માં રદ કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓને પરત કરવાની હિમાયત કરવા બદલ ટીકાઓનો સામનો કરવો પડો હતો. કંગનાએ આરોપ લગાવ્યો કે, ત્રણ કૃષિ કાયદાઓ વિદ્ધ ખેડૂતોનું આંદોલન ભારતમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ પેદા કરી રહ્યું છે. તેણીએ દાવો કર્યેા હતો કે, વિરોધ સ્થળો પર મૃતદેહો લટકતા હતા અને બળાત્કાર થઈ રહ્યા હતા. કંગના રનૌતે બાદમાં પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું હતું અને સ્વીકાયુ હતું કે તેણે યાદ રાખવું જોઈએ કે તે માત્ર એક કલાકાર જ નથી પરંતુ ભાજપની સભ્ય પણ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application