ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામે રહેતો નિઝામભાઈ વલીમામદ ખફી નામનો ૨૬ વર્ષનો યુવાન ગઈકાલે ગુરુવારે પોતાની વાડીએ પાણી વાળતો હતો, ત્યારે રાત્રિના સમયે કુવામાં આવેલી નળીમાંથી પાણી પીવા જતા તેનો પગ લપસી જતા અકસ્માતે કૂવામાં ખાબક્યો હતો. જેના કારણે પાણીમાં ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના નાનાભાઈ યાસીન વલીમામદ ખફીએ અહીંની પોલીસને કરી છે.
***
લાંબાના વૃદ્ધને હૃદયરોગનો જીવલેણ હુમલો
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા કાળુભાઈ સીદાભાઈ ચાવડા નામના ૭૦ વર્ષના આહિર વૃદ્ધને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ મૃતકના પુત્ર દાનાભાઈ કાળુભાઈ ચાવડાએ સ્થાનિક પોલીસને કરી છે.
***
સોયલમાં બિમારી સબબ વૃઘ્ધનું પ્રાણ પંખે ઉડયું
ધ્રોલના સોયલ ગામ બસ સ્ટેન્ડમાં બિમારી સબબ ઉપલેટાના વૃઘ્ધનું મૃત્યુ નિપજયું છે, આ અંગેની જાણ થતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉપલેટાના કોરીવાડા પાણીના ટાંકા પાસે રહેતા રમેશગીરી લક્ષમણગીરી મેઘનાથી (ઉ.વ.૭૦) નામના વૃઘ્ધને છેલ્લા ઘણા સમયથી શ્ર્વાસની તકલીફ હોય અને ટીબીની બિમારીથી પિડાતા હોય દરમ્યાન બિમારીના કારણે ગઇકાલે સોયલ બસ સ્ટેન્ડ ખાતે તેમનું મૃત્યુ થયુ હતું આ અંગે નિલેશગીરી ભુપતગીરીએ ધ્રોલ પોલીસમાં જાણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતણાવની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સતર્ક, 108 એમ્બ્યુલન્સનું સૈન્ય થયું સશક્ત
May 09, 2025 07:41 PMજામનગરમાં આવેલ સેનાની ત્રણેય પાંખ સાથે જિલ્લા વહીવટી તંત્રની એક મહત્વપૂર્ણ બેઠક
May 09, 2025 07:00 PMઅમદાવાદથી 20 જેટલી એમ્બયુલેન્સ જામનગર આવી પહોંચી
May 09, 2025 06:56 PMસિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને મોટો ઝટકો, વિશ્વ બેંકે કહ્યું કે અમે કંઈ ન કરી શકીએ
May 09, 2025 06:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech