અનંત અંબાણીના સપનાની જંગલ બૂક

  • February 27, 2024 02:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરની ભાગોળે મોટી ખાવડીમાં આવેલ વિશ્વની સૌથી મોટી ઓઇલ રીફાયનરીના વિસ્તારમાં રીલાયન્સના યુવા બીઝનેશમેન અનંત અંબાણીની પરીકલ્પનાથી ગ્રીન બેલ્ટમાં ૩૦૦૦ એકરમાં ફેલાયેલા વનતારાનો ઉદ્દેશ વૈશ્ર્વિક સ્તરે સંરક્ષણ પ્રયાસોમાં અગ્રણી પ્રદાન કર્તાઓમાં સ્થાન મેળવવાનો છે, અહિં વિશ્વની સૈાથી મોટી અધતન એલીફન્ટ હોસ્પિટલ અને એનીમલ રેસ્કયુ સેન્ટર કાર્યરત છે, ૬૫૦ એકરમાં આકાર પામેલા રેસ્કયુ એન્ડ રીહેબિલિટેશન સેન્ટરમાં ૪૩ પ્રજાતીઓના ૨૦૦૦ થી વધુ પ્રાણીઓ દેખરેખ હેઠળ છે, આ પ્રાણી સંગ્રહાલય નહિં સેવાલય છે તેવી લાગણી સંવેદનશીલ અને યુવા ડીરેકટર અનતં અંબાણીએ વ્યકત કરી હતી. પ્રાણીઓની દેખરેખ માટે કર્મચારીઓની ફૌજ, નિષ્ણાતં પશુ ચિકીત્સકોની ટીમ, પ્રાણીઓના ખોરાક માટે ખેતીવાડી અને અલાયદુ રસોડું તેમજ સારવાર માટે આધુનિક સાધનો, આયુર્વેદીક દવાઓ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે, અત્યારસુધી અસંખ્ય પ્રાણીઓના રેસ્કયુ કરીને જીવ બચાવવામાં આવ્યા છે, અહિં અબોલ જીવ માટે શરૂ કરાયેલા સેવાયજ્ઞ અધતન સાધન–સુવિધાઓથી સુસ છે, હાથી મેરે સાથી અને જંગલ મેં મંગલ જેવી અલૌકીક અનુભુતી અહિં રહેનારાઓ અને આવનારાઓને અચુક થાય છે, અલબત આ એવું સંગ્રહાલય છે કે જયાં ખુદ જંગલના જાનવરોને રહેવાની ઇચ્છા થાય..., અહિંનો માહોલ અને પ્રાણીઓની સારસંભાળ, સારવાર જોતા ખરા અર્થમાં જીવદયા પ્રેમી અનંતભાઇના દિલમાં દયાનો દરીયો વહે છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશને આજે ભારત અને સમગ્ર વિશ્વના ઇજાગ્રસ્ત, પ્રતાડિત અને ભયગ્રસ્ત પ્રાણીઓના બચાવ, સારવાર, સંભાળ અને પુનર્વસન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેની એકછત્ર પહેલ  વનતારા કાર્યક્રમની જાહેરાત કરી છે. ગુજરાતમાં રિલાયન્સના જામનગર રિફાઈનરી સંકુલમાં આવેલા ગ્રીનબેલ્ટની અંદર ૩૦૦૦ એકરમાં ફેલાયેલા, વનતારાનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે સંરક્ષણ પ્રયાસોમાં અગ્રણી પ્રદાનકર્તાઓમાં સ્થાન મેળવવાનો છે. પ્રાણીસંભાળ અને કલ્યાણના અગ્રણી નિષ્ણાતો સાથે કામ કરીને, વનતારાએ બચાવ કરેલા પ્રાણીઓ સુખેથી રહી શકે તે માટે ૩૦૦૦–એકરની વિશાળ જગ્યાને જંગલ સાથે સામ્યતા ધરાવતા કુદરતી, સમૃદ્ધ, હરીયાળા અને લીલાછમ રહેઠાણમાં પાંતરિત કરી છે.
ભારતની અનન્ય વનતારા પહેલ, આરઆઈએલ અને રિલાયન્સ ફાઉન્ડેશનના બોર્ડના ડાયરેકટર અનતં અંબાણીના પ્રખર નેતૃત્વ હેઠળ પરિકલ્પિત થઈ છે અને અસ્તિત્વમાં આવી છે.

છેલ્લા કેટલાક વર્ષેામાં, પ્રોગ્રામમાં ૨૦૦ થી વધુ હાથીઓ અને હજારો અન્ય પ્રાણીઓ, સરિસૃપો અને પક્ષીઓને અસુરક્ષિત પરિસ્થિતિઓમાંથી બહાર કાઢીને બચાવ્યા છે. આ પહેલમાં ગેંડા, ચિત્તા અને મગર સહિતની મુખ્ય પ્રજાતિઓના પુનર્વસનની કામગીરી પણ કરવામાં આવી છે. તાજેતરમાં, વનતારાએ મેકિસકો, વેનેઝુએલા વગેરે દેશોમાં વિદેશી બચાવ મિશનમાં પણ ભાગ લીધો છે. તાજેતરમાં મધ્ય અમેરિકન ઝૂ ઓથોરીટીના મદદના સાદને પ્રતિભાવ આપતાં ત્યાંથી ઘણાં મોટા પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. આ પ્રકારના તમામ બચાવ અને પુનર્વસન મિશન ભારતમાં અને આંતરરાષ્ટ્ર્રીય સ્તરે કડક કાયદાકીય અને નિયમનકારી માળખા હેઠળ હાથ ધરવામાં આવે છે.

આ પ્રસંગે અનતં અંબાણીએ જણાવ્યું હતું કે, ખૂબ જ નાની ઉંમરે મારા માટે પેશન તરીકે જે કાર્ય શ થયું હતું તે હવે વનતારા અને અમારી તેજસ્વી અને પ્રતિબદ્ધ ટીમ સાથે એક મિશન બની ગયું છે. અમે ભારતીય મૂળની ગંભીર રીતે લુપ્રાય પ્રજાતિઓના રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કયુ છે. અમે મહત્વપૂર્ણ રહેઠાણોને પુન:સ્થાપિત કરવા અને પ્રજાતિઓ માટેના તાત્કાલિક જોખમોને સંબોધવા અને વનતરાને અગ્રણી સંરક્ષણ કાર્યક્રમ તરીકે સ્થાપિત કરવા માંગીએ છીએ. અમને આનદં છે કે અમારા પ્રયાસોને ભારતમાં અને આંતરરાષ્ટ્ર્રીય સ્તરે માન્યતા મળી છે. ભારતના અને વિશ્વના કેટલાક ટોચના પ્રાણીશાી અને તબીબી નિષ્ણાતો અમારા મિશનમાં જોડાયા છે અને અમે ભાગ્યશાળી છીએ કે અમને સરકારી સંસ્થાઓ, સંશોધન અને શૈક્ષણિક સંસ્થાઓના સક્રિય સહયોગ અને માર્ગદર્શન પ્રાપ્ત થયા છે.

વનતારાની સ્થાપના માટે તેમને પ્રેરણા આપનાર ફિલસૂફી અંગે સમજાવતા અંબાણીએ જણાવ્યું કે, વનતારા એ આધુનિક વૈજ્ઞાનિક અને તકનીકી વ્યાવસાયિકતાની શ્રેતા સાથે કણાના વર્ષેા જૂના નૈતિક મૂલ્યનું સંયોજન છે. હત્પં જીવ સેવા (પ્રાણીઓની સંભાળ) ને ભગવાન અને માનવતાની સેવા તરીકે જોઉં છું. વનતારામાં હાથીઓ માટેનું કેન્દ્ર અને સિંહ અને વાઘ, મગર, દિપડા વગેરે સહિત અન્ય મોટી–નાની પ્રજાતિઓ માટેની સુવિધાઓ છે. તેમણે એમ પણ કહ્યુ હતું કે મારા માટે હાથી એ ભગવાન ગણેશનું રૂપ છે, દરેક જીવમાં ભગવાન છે, આ સંગ્રાહલય નહિં સેવાલય છે, આગળ કહેલું કે સેવાલયની પ્રેરણા મારા માતા પાસેથી મળી, જીવ દયાના સંસ્કાર દાદાજી પાસેથી મળ્યા છે. તેઓએ તેમ પણ કહેલું કે આ માત્ર ૨૦ ટકા કામ થયું છે, હજુ ઘણું કરવાનું બાકી છે.

એલિફન્ટ સેન્ટર : વનતારા ખાતે હાથીઓ માટેનું સેન્ટર ૩૦૦૦ એકરના પરિસરમાં અત્યાધુનિક શેલ્ટર્સ, વૈજ્ઞાનિક રીતે ડિઝાઇન કરાયેલા દિવસ અને રાત્રિના એન્કલોઝર્સ, હાઇડ્રોથેરાપી પૂલ્સ, જળાશયો અને હાથીઓના આર્થરાઇટિસની સારવાર માટેના એક વિશાળ એલિફન્ટ જકુઝી સાથે ફેલાયેલું છે. આ સેન્ટર ૨૦૦થી વધુ હાથીઓનું ઘર બન્યું છે જયાં તેમની પશુચિકિત્સકો, જીવવિજ્ઞાનીઓ, રોગવિજ્ઞાનીઓ, પોષણશાીઓ અને પ્રકૃતિશાીઓ સહિત ૫૦૦થી વધુ લોકોના વિશિષ્ટ્ર અને પ્રશિક્ષિત સ્ટાફ દ્રારા ચોવીસ કલાક સંભાળ રાખવામાં આવે છે.આ સેન્ટર પાસે ૨૫,૦૦૦ ચોરસ ફટની વિશ્વની સૌથી મોટી એલિફન્ટ હોસ્પિટલ છે, જે પોર્ટેબલ એકસ–રે મશીનો, વિવિધ સારવાર માટેના લેસર મશીનો, સંપૂર્ણ સ ફાર્મસી, તમામ ડાયોસ્ટિક ટેસ્ટ માટે પેથોલોજી, નિદાન માટે આયાતી એલિફન્ટ રિસ્ટ્રેઇનિંગ ડિવાઇસ, હાઇડ્રોલિક પુલી અને ક્રેન્સ, હાઇડ્રોલિક સર્જિકલ ટેબલ અને હાથીઓ માટે હાઇપરબેરિક ઓકિસજન ચેમ્બર સાથે સ છે. આ હોસ્પિટલ કેટરેક અને એન્ડોસ્કોપિક ગાઇડેડ સર્જરીઝ કરે છે (તેના પ્રકારના પ્રથમ ખાસ ડિઝાઇન કરાયેલા એન્ડોસ્કોપી સાધન સાથે) અને જરી કોઈપણ શક્રિયા કરવા સક્ષમ છે. અહિં અલાયદુ રસોડું છે તેમજ આ સેન્ટર હાથીઓની સંભાળ માટે આયુર્વેદ તકનીકો પણ અજમાવે છે, ગરમ તેલના મસાજથી લઈને મુલતાની માટી સુધીના ઉપચારો સાથે આયુર્વેદ પ્રેકિટશનરો હાથીઓ માટે ચોવીસ કલાક કામ કરે છે.

પ્રાણીઓની મદદ માટે હેલ્પલાઇન નંબર ઉપલબ્ધ છે. વિશ્ર્વની સૌથી મોટી ફેસેલીટી ધરાવતી એલીફન્ટ હોસ્પિટલ છે, અન્ય બીમારીના પણ ઓપરેશન થાય છે, ઓકસીજનના બાટલા પણ ચડાવાય છે, જાનવરોને ઉત્તમમાં ઉત્તમ સારવાર સુવિધા મળે એ પ્રથમ મત્રં છે. અહિં રાખવામાં આવતા પ્રાણીઓને જેલ જેવા પાંજરા નહિં પરંતુ કુદરતી વાતાવરણ મળી રહે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, પ્રાણીઓને ધ્યાનમાં લઇને દરેક જીણામાં જીણી વાતો અને વિગતો મેળવીને તે પ્રમાણે તેના રહેઠાણની વિશાળ વ્યવસ્થા રખાઇ છે, જેતે વિસ્તારમાંથી જે જાનવરને અહિં લાવવામાં આવ્યુ હોય ત્યાંનું ઘાસ અને એ પ્રકારનું વાતાવરણ ઉભુ કરવામાં આવે છે, જેથી અંદર રહેલ પ્રાણીને એ પિંજરામાં છે એવું નહિં પરંતુ તેના સ્વેરવિહાર જેવા ઘરમાં છે એવો અહેસાસ થાય છે, મતલબ કે પ્લેટફોમ, તળાવ, ખાવાની વસ્તુ, પથ્થરો, લાકડા આ બધુ એવી રીતે ગોઠવવામાં આવે છે જેથી નેચરલ સદન લાગે એ પ્રકારની મોકળાશવાળી ઋતુ પ્રમાણે વ્યવસ્થા અહિં ઉભી કરેલ છે.

એલીફન્ટ માટે વિશેષ રસોડું
સેન્ટર પાસે ૧૪૦૦૦ ચોરસ ફટથી વધુનું વિશેષ રસોડું છે જે દરેક હાથી માટે તેમના ઓરલ હેલ્થ સહિત તેમની અત્યતં આવશ્યક શારીરિક જરિયાતોને ધ્યાનમાં રાખીને ખાસ પસદં કરવામાં આવેલો આહાર તૈયાર કરવા માટે સમર્પિત છે. આ રસોડામાં જીણામાં જીણી વિગતો ધ્યાને લઇને દરરોજનું મેનુ તૈયાર કરાયું છે, દરેક હાથીનો અલગ અલગ ચાર્ટ છે, એ મુજબ ભોજન પીરસવામાં આવે છે, જો કોઇ હાથીને દાંત ન હોય તો એ રીતે ખાવાનું અપાય છે, અહિં રસોડાના પ્રોફેસર પેટ્રા જર્મન યુનિ.ના છે અને અહિં સેવા આપી રહ્યા છે અને ભારતના અન્ય લોકોને ટ્રેનીંગથી શીખડાવવામાં આવે છે અન્ય ઝુ ને પણ તેનો કેમ્પનો લાભ મળી શકે એ પ્રકારની યોજના છે, ખરેખર તો પ્રાણીઓને કેવું ખાવાનું આપી શકાય એ દિશામાં બહેતરીન કામ કોણે કર્યુ છે એ અંગે તપાસ કરીને પ્રોફેસરને અહિં લાવવામાં આવ્યા છે, ખોરાક માટે અહિં જ વાવેતર કરાય છે, ૫૦૦ થી ૧૦૦૦ એકરમાં ખેતી થાય છે, જેમાં દરરોજ ૧૦૦ થી ૨૦૦ કીલો ઘાસ ઉપરાંત ૫૦૦ કીલો લાડુ અને ૫૦૦ કીલો ખીચડી બને છે. કયા હાથીને કયા પ્રકારનો ખોરાક આપવો એ માટે વાઇલ્ડ લાઇફ ૧૮ જેટલા ન્યુટ્રીશન ફરજ બજાવે છે.

રેસ્કયૂ એન્ડ રીહેબિલિટેશન સેન્ટર
સર્કસ અથવા ગીચ પ્રાણી સંગ્રહાલયમાં તૈનાત કરાયેલા જંગલી પ્રાણીઓ માટે ૩૦૦૦ એકર પરિસરમાં ૬૫૦ એકરથી વધુનું એક રેસ્કયૂ એન્ડ રેહાબિલિટેશન સેન્ટર વિકસાવવામાં આવ્યું છે યાં ભારત અને સમગ્ર વિશ્વમાંથી યાતનાદાયક અને ખતરનાક વાતાવરણમાંથી બચાવવામાં આવેલા પ્રાણીઓને અત્યાધુનિક વિશાળ એન્કલોઝર્સ અને આશ્રયસ્થાનોમાં રાખવામાં આવે છે. આશરે ૨૧૦૦થી વધુ કર્મચારીઓના સંખ્યાબળ છે. આ સેન્ટર પાસે એક લાખ ચોરસ ફટની હોસ્પિટલ અને તબીબી સંશોધન કેન્દ્ર છે. આઇ.સી.યુ., એમ.આર.આઇ., સીટી સ્કેન, એકસ–રે, અલ્ટ્રાસાઉન્ડ, એન્ડોસ્કોપી, ડેન્ટલ સ્કેલર, લિથોટિ્રપ્સી, ડાયાલિસિસ, સર્જરીઓ અને બ્લડ પ્લામા સેપરેટર માટે લાઇવ વીડિયો કોન્ફરન્સીસ માટેની ઓઆરવન ટેકનોલોજી આ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર પાસે છે.  ગ્રીન્સ ઝુઓલોજીક રેસ્કયુ એન્ડ રીહેબિલિટેશન સેન્ટરમાં નિષ્ણાતં પશુ ચિકીત્સકો ૨૪ કલાક કાર્યરત રહે છે


દાદીમાની ઇચ્છા હતી કે હું લગ્ન જામનગરમાં કરું : અનતં અંબાણી
જામનગરમાં પ્રાણીઓની સારવાર અને દેખરેખ માટે વન તારા સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેની વિગતો માટે રૂબરૂ મુલાકાત પત્રકારોએ લીધી હતી, દરમ્યાનમાં પત્રકારો સાથેની ઔપચારીક વાતચીતમાં રિલાયન્સના યુવા ડીરેકટર અનતં અંબાણીએ મારા દાદીમાંની ઇચ્છા હતી કે હું લગ્ન જામનગરમાં કરૂ, તેમને મેં જયારે પુછયુ કે દાદી લગ્ન કયાં કરવા જોઇએ તો તેમણે પળનો ય વિચાર કર્યા વગર કહેલું કે જામનગર, કારણ કે જામનગર તેમનું વતન છે અને દાદીમાંના વતન પ્રેમને લીધે અમોએ જામનગરમાં પ્રિ–વેડીંગનો કાર્યક્રમ કરવાનું નકકી કર્યુ હતું.

રાષ્ટ્ર્રીય અને આંતરરાષ્ટ્ર્રીય સહયોગ
વેનેઝુએલન નેશનલ ફાઉન્ડેશન ઓફ ઝૂસ જેવી આંતરરાષ્ટ્ર્રીય સંસ્થાઓ સાથે નિકટતાથી કામ કરીને તેમજ સ્મીથસોનિયન અને વલ્ર્ડ એસોશિયેશન ઓફ ઝૂસ એન્ડ એકવારિયમ્સ જેવી પ્રતિિત સંસ્થાઓ સાથે જોડાઈને વનતારા પ્રોગ્રામને અપ્રતિમ લાભ મળ્યો છે. ભારતમાં, તે નેશનલ ઝૂઓલોજીકલ પાર્ક, આસામ સ્ટેટ ઝૂ, નાગાલેન્ડ ઝૂઓલોજીકલ પાર્ક, સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્ક વગેરે સંસ્થાઓ સાથે સહયોગથી કામ કરે છે. શિક્ષણ અને જાગૃતિ : લોકોમાં, ખાસ કરીને યુવાઓ અને બાળકોમાં પશુ સંવર્ધનના મુદ્દે જાગૃતિ વધે તે માટે, વનતારા પહેલ હેઠળ જ્ઞાન અને સંસાધનોના એકસચેન્જ સહિત શૈક્ષણિક સંસ્થાઓ સાથે નિકટતાથી સહકાર સાધવા ઉપર પણ મહત્તમ ભાર મૂકાય છે. તેના હેઠળ આધુનિક અને યુચરિસ્ટિક, હવામાન નિયંત્રિત બધં ભાગમાં અમુક પ્રાણીઓ માટે જોવાના સ્થળની રચના કરાઈ છે, જેના પગલે કણા અને કાળજીના કાર્યમાં નવા માપદંડો સ્થાપિત કરાયા છે. ગ્રીન એરિયા : વનતારા પ્રાણીઓનું રેસ્કયુ (ઉગારવા) અને કન્ઝર્વેશન (સંવર્ધન) એ એકબીજાનાં પૂરક બને તે રીતે આગળ વધવામાં ધ્ઢપણે માને છે અને વનતારા પ્રોગ્રામ હેઠળ રિલાયન્સ રિફાઈનરીના વિસ્તારોને હરિયાળા બનાવવાનું કાર્ય આગળ ધપાવવાની પરિકલ્પનાને સાકાર કરાઈ રહી છે, તે મુજબ અત્યાર સુધીમાં હજારો એકર જમીનને હરિયાળી બનાવી દીધી છે


રેસ્કયુ અને એકસચેન્જમાં કાયદાનું અનુસરણ
બચાવાયેલાં તમામ પ્રાણીઓને ઝૂલ્સ, ૨૦૦૯ની માન્યતાઓ મુજબ તેમજ વાઈલ્ડલાઈફ પ્રોટેકશન એકટ, ૧૯૭૨ હેઠળ સ્થાપિત જોગવાઈઓ અનુસાર સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઉપરાંત જે–તે રાજ યના ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડનની આગોતરી મંજૂરીઓ મેળવ્યા બાદ વનતારા ખાતે લાવવામાં આવે છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી તરફથી અનુમતિ મંજૂરી મળે તે પછી તમામ પ્રાણીઓના એકસચેન્જને હાથ ધરવામાં આવે છે. ભારતમાંની તેમજ વિદેશની અન્ય સંસ્થાઓ તરફથી મળતી એકસચેન્જની વિનંતીઓને પણ વનતારાએ પ્રત્યુત્તર આપ્યા છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, વન–પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન મંત્રાલય, વિદેશ વ્યાપાર મહાનિદેશક, પશુ સંવર્ધન અને ડેરી વિભાગ તથા વન્યજીવ ગુના નિયંત્રણ બ્યૂરો પાસેથી જરી મંજૂરીઓ મેળવ્યા પછી આવાં પ્રાણીઓને લાવવામાં આવે છે

વીડિયો એન્ડ રોબાટિંગથી પણ સર્જરી
એનીમલ હોસ્પિટલમાં અત્યાધુનિક સાધનોથી ઓપરેશન સહિતની સારવાર કરવામાં આવે છે, જુદા જુદા ૨૦ પશુ ચિકીત્સકોની ટીમ ૨૪ કલાક કાર્યરત છે, દુનિયાનું એકમાત્ર વાઇલ્ડ સીટી સ્કેન મશીન અને જુદા જુદા વિભાગોની સેવા અનન્ય છે. હોસ્પિટલ ઉપરાંત રીસર્ચ સેન્ટરમાં અવિરત પ્રાણીઓની સેવા કરવામાં આવે છે તેમજ ૧૦૦૦ થી ૧૨૦૦ જેટલા કેરટ્રેકર અહિં ફરજ બજાવે છે. વીડીયો કન્ફોરન્સીંગ અને રોબોટીંગથી પણ અહિં સર્જરી કરવામાં આવે છે.

૨૦૦ દીપડા, ૧૦૦૦ મગર અને પીડિત પ્રાણીઓને બચાવ્યા
રેસ્કયૂ એન્ડ રેહાબિલિટેશન સેન્ટરે સમગ્ર ભારતમાંથી માર્ગ અકસ્માતો અથવા માનવ–જંગલી પ્રાણી વચ્ચેના સંઘર્ષમાં ઇજાગ્રસ્ત થયેલા લગભગ ૨૦૦ દીપડાઓને બચાવ્યા છે. આ સેન્ટર દ્રારા તમિલનાડુમાં ખીચોખીચ અને ભીડભાડવાળી ફેસિલિટીમાંથી ૧૦૦૦થી વધુ મગરોને બચાવાયા છે. આ કેન્દ્રે આફ્રિકામાં શિકારની જગ્યાઓમાંથી, સ્લોવાકિયામાં અસાધ્ય રોગના ભય હેઠળ પીડાતા, મેકિસકોની ફેસિલિટીઝમાં ગંભીર રીતે પીડિત પ્રાણીઓને બચાવ્યા છે






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application