જૂનાગઢ મહાપાલિકાએ કાળવા વોંકળામાંથી કાપ કાઢીને ઉંડો કરાયો

  • September 02, 2024 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢ શહેરમાં ગત વર્ષે ભારે વરસાદને કારણે તારાજી સર્જાય હતી, જેને લોકો હજુ ભૂલ્યા નથી. પરંતુ આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદ થયો હોવા છતાં લોકોની કોઈ મુશ્કેલીઓ વેઠવી પડી નથી.
આ માટે વોટર લોગીંગના પ્રશ્નને હલ કરવા માટે જિલ્લ ા વહીવટી તત્રં અને મહાનગરપાલિકા દ્રારા આગોતરા આયોજન સાથે પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી.
ખાસ કરીને શહેરની મધ્યમાંથી પસાર થતા કાળવા વોંકળાનું ડીસીલ્ટિંગ એટલે કે, વોંકળામાંથી માટી કાપ કાઢીને તેને ૧ મીટર જેટલું ઉતારવા ઉપરાંત જરી સાફ સફાઈ કરીને વોંકળાની બંન્ને તરફ લંબાઈ ૨.૫ મીટર વધી છે.
     શહેરીજનોને પૂરના પાણીથી સુરક્ષિત રાખી શકાય તે માટે મહાનગરપાલિકા દ્રારા . ૧.૪૦ કરોડના ખર્ચે ૫ સ્થળોએ ૨૬૦ મીટર જેટલી પ્રોટેકશન વોલ એટલે કે, પૂર સંરક્ષણ દિવાલ બનાવવામાં આવી છે.મહાનગરપાલિકા દ્રારા આલ્ફા–૨ સ્કૂલ, હાટકેશ હોસ્પિટલ,રાયજીબાગ, એસ. ટી. વર્કશોપ, અને આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ –મધુરમ ખાતે પૂર સંરક્ષણ દિવાલ બનાવવામાં આવી છે.ઉપરાંત ભવાનીનગર – વિશ્વકર્મા સોસાયટીમાં પ્રોટેકશન વોલ બનાવવાનું કામ પ્રગતિમાં છે.
  કાળવા વોંકળો સાંકળો હોવાથી અને એક નાના પુલના કારણે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ સર્જાતો હતો.જેથી ઘરોમાં પાણી ઘુસી જવાની સમસ્યા રહેતી, ગયા વર્ષે પણ અહીંના રહીશોને મુશ્કેલીઓનો સામનો કરવો પડો હતો.પરંતુ જિલ્લ ા વહીવટી તત્રં અને મહાનગરપાલિકા દ્રારા કાળવા વોંકળાની ઐંડાઈ અને પહોળાઈ વધારવાથી અને પાણીના નિકાલમાં અવરોધ પ નાનું પૂલ દૂર કરવાથી સરળતાથી પાણી નિકાલ થઈ ગયો હતો. આમ, આ વર્ષે ભારે વરસાદ હોવા છતાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડો ન હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application