જામનગરની પરણીતાને જેઠ-દિયરે ત્રાસ ગુજારી હાંકી કાઢી

  • September 23, 2024 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં અકબરશા મસ્જિદ પાસે રહેતી એક મુસ્લીમ પરણીતાને મોરબીમાં રહેતા તેણીના જેઠ અને દિયરે ત્રાસ ગુજારી હાંકી કાઢ્યા ની પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે તપાસ દોર મોરબી સુધી લંબાવ્યો છે.


જામનગરમાં અકબરશા ચોક માં રહેતી અને ઝરી ભરત ગુથણ નું કામ કરતી સમીંમબાનું મોહમ્મદ સીદીક કાદરી નામની મુસ્લીમ પરણીતાને મોરબીમાં રહેતા તેણીના જેઠ અબ્દુલ રસીદ મદનમીયા કાદરી તેમજ દીયર સિકંદરમિયા કાદરીએ ત્રાસ ગુજારી હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.

સમીમબાનુંના પતિનું અવસાન થયા પછી તેણી જામનગર રહેવા આવી ગઈ હતી, ત્યારબાદ જેઠ અને દિયર ત્રાસ ગુજારતા હોવાથી અને ધાક ધમકી આપતા હોવાથી મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બંને સામે ગુનો નોંધ્યો છે, અને તપાસનો દોર મોરબી સુધી લંબાવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application