આવતીકાલથી રાજ્યમા જંત્રીના ભાવ થશે બમણા, મહેસુલ વિભાગનો પરીપત્ર જાહેર

  • February 05, 2023 05:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આવતીકાલથી રાજ્યમા જંત્રીના ભાવો બમણા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે મહેસુલ વિભાગે આ અંગે પરીપત્ર જાહેર કરી દીધો છે. મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા 12 વર્ષ બાદ જંત્રીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.


મહેસૂલ વિભાગ દ્વારા સ્ટોક હોલ્ડર્સ સાથે મિટિંગ યોજી જરૂરી સૂચનો મેળવવા તમામ કલેક્ટરોને સૂચના અપાઈ હતી. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં જંત્રીમાં બમણો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે અગાઉ વર્ષ 2011માં જંત્રીના દરોમાં સુધારો કરાયો હતો. ત્યાર બાદ વર્ષ 2023માં સુધારો કરવામાં આવ્યો છે. એટલે કે 12 વર્ષ પછી તેમાં વધારો કરવાની વિચારણા સરકારે હાથ ધરી હતી જેની આજે અમલવારી કરી દેવામાં આવી છે. જે અમલમાં સોમવારથી આવશે.


છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application