કાલે શિતળાસાતમ: રોહિણી નક્ષત્રમાં જન્માષ્ટમી

  • August 24, 2024 01:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શ્રાવણ વદ સાતમ ને રવિવાર તારીખ ૨૫ ઓગસ્ટ ના દિવસે શીતળા સાતમ છે આ દિવસે આખો દિવસ સાતમ તિથિ છે . આ વર્ષે શીતળા સાતમ રવિવારે હોવાથી સાથે ભાનુ સમી પણ છે આથી શીતળા માતાના પૂજન સાથે સૂર્યદેવનું પણ પૂજન કરવું ઉત્તમ ગણાશે આ દિવસે સૂર્યને અધ્ર્ય આપવું ઉત્તમ ગણાશે
શીતળા સાતમ ખાસ કરીને નાના બાળકોને સાં આરોગ્ય રહે તથા રક્ષા મળે તેનો તહેવાર છે આ દિવસે સવારે વહેલા ઉઠી નિત્ય કર્મ કરી ત્યારબાદ સૌ પ્રથમ ઘરમાં રહેલ ચુલાનું અથવા ગેસના ચૂલા ને ચાંદલો ચોખા કરી પૂજન કરવું ત્યારબાદ શીતળા માતાજીની કુલેર બનાવી અને શ્રીફળ તથા કુલેર લઈ શીતળા માતાજીના મંદિરે સહ પરિવાર જવું ત્યારબાદ માતાજીને દિવો અથવા અગરબતી  કરવી. શ્રીફળ વધેરવું. કુલેર ધરવી અને પ્રાર્થના કરવી. મારી તથા મારા બાળકો કુટુંબીજનોનું બીમારી થી રક્ષણ કરજે. શીતળા માતાજી શીતળતા ના એટલે કે, ઠંડકના દેવી છે.
ખાસ કરીને જે લોકોને કોઈ મોટી બીમારી હોય કોઈપણ દવા પણ લાગુ ન પડતી હોય તો આ દિવસે માતાજીને પ્રાર્થના કરવી જોઈએ મારી બીમારી માતાજી દૂર કરો પૂજા કરવી જોઈએ આ દિવસે ઉપવાસ અથવા એકટાણું રહેવું જોઈએ. શ્રાવણ વદ આઠમને સોમવાર તા. ૨૬–૮–૨૪ના દિવસે જન્માષ્ટ્રમી છે. આ વર્ષે શ્રાવણ મહિનાની સોમવારે જન્માષ્ટ્રમી આવતી હોવાથી શ્રાવણ મહિના સોમવારે શિવ પૂજા નો પણ મહત્વ વધારે છે આમ સવાર ના શિવ પૂજા રાત્રિના કૃષ્ણ ભકિત બંને નો સમન્વય થશે આમ ભકત જનો ને બંને ભગવાન ની ભકિતનો લાભ મળશે એ ઉપરાંત સોમવારે બપોરે ૩.૫૪ થી રોહિણી નક્ષત્ર શ થાય છે આમ સોમવારે રાત્રી ના ૧૨ વાગે કૃષ્ણ ભગવાનના જન્મ સમયે વૃષભ રાશિ નો ચદ્રં રોહિણી નક્ષત્રમાં છે અને કૃષ્ણ ભગવાનનો જન્મ પણ રોહિણી નક્ષત્રમાં થયેલ આથી આ વર્ષે જન્માષ્ટ્રમી ઉત્તમ ગણાશેએક માન્યતા પ્રમાણે કૃષ્ણ ભગવાનનો જન્મ આ જન્માષ્ટ્રમી થી પ૨૫૧ વર્ષ પહેલા થયેલો એટલે કે આ વર્ષે ૫૨૫૧ મી જન્માષ્ટ્રમી ઉજવાશે
વર્ષમાં ચાર મહારાત્રી આવે છે. કાલરાત્રી એટલે કાળી ચૌદશની રાત, મહારાત્રી એટલે મહાશિવરાત્રી, મોહરાત્રી એટલે જન્માષ્ટ્રમીની રાત્રી, દાણરાત્રી એટલે હોળીની રાત્રી. આમ ચાર મહારાત્રી દરમ્યાન કરેલ પૂજા– પાઠ, અનુ ાન તુરતં ફળદાયી બને છે.આમ પુરાણ પ્રમાણે પણ જન્માષ્ટ્રમીની રાત્રી નુ મહત્વ વધારે રહેલું છે.જન્માષ્ટ્રમીની રાત્રે ૧૨ વાગ્યે શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું. એક બાજોઠ ઉપર સફેદ વક્ર પાથરી ચોખાની ઢગલી કરી દિવો કરી તેનાં ઉપર બાળ ગોપાલ શ્રીકૃષ્ણ ભગવાનની છબી પધરાવવી. આગળ એક પાત્રમાં ભગવાનને રાખી અને જળ પંચામૃત, સાકરવાળા દૂધથી અભિષેક કરવો ત્યારબાદ ભગવાન ને બાજોઠ ઉપર રાખી વ મુકુટ પહેરાવી અને ચંદન ચોખા કરી ફુલ અર્પણ કરી અબીલ–ગુલાલ ચડાવવા, નૈવેધ માં મીઠાઈ માખણ ધરવું અથવા દહી ધરી શકાય, આરતી કરવી, જો ઘર મા મોરપીછ હોય તો ભગવાન પાસે રાખવું પગે લાગવું આમ ઘરનાં સભ્યો ભેગા મળી શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન કરવાથી ઘરમાં શાંતિ મળે છે અને સપં રહે છે.તે ઉપરાંત જન્માષ્ટ્રમીની રાત્રે ૐ નમો ભગવતે વાસુદેવાય નમ: મંત્રનો જપ કરવાથી માનસિક શાંતિ મળે છે. ૧ અથવા ૧૧ માળા કરવી. તેમ શાક્રી રાજદીપ જોશી વેદાંત રત્ને જણાવ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application