ખુદ ડીએમસી અધિકારીઓની ટીમ લઇને જલારામનગર પહોંચ્યા: જો પશુ છુટા મુકશો તો ખેર નથી: કેટલ પોલીસીમાં લાયસન્સ અને ટેગીંગ ફરજીયાત
જામનગર શહેરમાં કેટલાક પશુપાલકો દ્વારા રસ્તામાં ઢોર છુટા મુકી દેવામાં આવે છે તેની સામે ખુદ ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા ટીમ સાથે મેદાને પડયા છે, જલારામનગર સહિતના વિસ્તારોમાં એકાએક ચેકીંગ કરીને તમામ પશુપાલકોને પાંચ દિવસમાં પોતાના પશુઓની રાખવાની વ્યવસ્થા કરી લેવી નહીતર જામ્યુકો દ્વારા આકરા પગલા લેવામાં આવશે, એટલું જ નહીં લાયસન્સ અને ટેગીંગ ફરજીયાત છે, જર પડયે અન્ય વિસ્તારોને કેટલ પોલીસીથી વાકેફ કરવામાં આવશે.
ગઇકાલે જલારામનગર સહિતના વિસ્તારોમાં ડીએમસી સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને મોટી સંખ્યામાં માલધારીઓ એકત્ર થઇ ગયા હતાં, આ લોકોને સાથે રાખીને એક મીટીંગ કરવામાં આવી હતી અને માત્ર પાંચ જ દિવસમાં પશુઓની વ્યવસ્થા કરી લેવા આખરી ચેતવણી આપવામાં આવી છે. તંત્ર દ્વારા નવી કેટલ પોલીસી મુજબ પાંચ દિવસ બાદ કડક પગલા લેવામાં આવશે.
કોર્પોરેશન દ્વારા નવી પોલીસીના જાહેરનામાની અમલવારી શ થઇ જશે અને તમામ વિસ્તારમાં આ પોલીસી લાગુ પડશે જેમાં શહેરમાં પશુ રાખનાર વ્યકિતએ લાયસન્સ લેવું ફરજીયાત છે, જે પશુ માટે યોગ્ય જગ્યા સહિતની બાબતોની ચકાસણી કરવામાં આવશે અને જેમાં પાત્રતા હશે તેઓને લાયસન્સ અપાશે, ઉપરાંત પશુઓના કાન વિંધીને માલીકોની ઇ-વિગતો સ્કેન કરી શકાય તેવી આધુનિક ટેગ મારવી પણ ફરજીયાત છે.
સોલીડ વેસ્ટ શાખાના ક્ધટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવા, નાયબ ઇજનેર કેતન કટેશીયા, નિતીન દિક્ષીત, રાજભા જાડેજા, સુનિલ ભાનુશાળી, સીટી-બી પીએસઆઇ ઝાલા, પીએસઆઇ એમ.વી.મોઢવાડીયા સહિતના અધિકારીઓ જલારામનગર ગયા હતાં, ત્યાં પશુપાલકો સાથે મીટીંગ કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસમાં ઢોર પકડ ઝૂંબેશ પણ ચાલું છે અને શહેરના જુદા-જુદા વિસ્તારમાંથી 30 જેટલા પશુઓને પકડી લેવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં આ ઝૂંબેશ સતત ચાલું રહેશે તેમ પણ જણાવાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે US, તુલસી ગબાર્ડ બોલી, આ ઇસ્લામિક આતંકવાદી હુમલો
April 25, 2025 09:58 PMપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech