તળાવની પાળ, ડીકેવી સર્કલ અને પંચવટી વિસ્તારમાંથી ટ્રાફિક સમસ્યાના બહાને કાર્યવાહી કરાઇ
જામનગરમાં ટ્રાફિક સમસ્યાના કારણે એસ્ટેટ શાખાએ શહેરમાં તળાવની પાળ, ડીકેવી સર્કલ અને પંચવટી વિસ્તારમાંથી બે ઘોડાગાડી અને પાંચ ઘોડા જપ્ત કયર્િ હતાં. આ અંગેની વિગત એવી છે કે, ફરવાના સ્થળો ઉપર ઘોડાગાડી અને બગીવાળા બાળકોને ફેરવતા હોય છે, કેટલાક સ્થળોએ ટ્રાફિક સમસ્યા હોવાની પણ ફરિયાદ ઉઠવા પામી હતી.
જામનગરમાં તળાવની પાળ, ડીકેવી સર્કલ અને પંચવટી વિસ્તારમાં આ અગાઉ પણ ઘોડાગાડીવાળા વિઘ્ધ ફરિયાદો થઇ હતી, આખરે જામ્યુકોની એસ્ટેટ શાખાના મુકેશ વરણવાની સુચનાથી સુનિલ ભાનુશાળી તથા અન્ય સ્ટાફે બે ઘોડાગાડી કબ્જે કરી હતી અને પાંચ ઘોડાને બેડેશ્ર્વરના ઢોરના ડબ્બામાં મોકલી આપવામાં આવ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : હોટલમાં જમતી વેળાએ કેરીના રસમાંથી વંદો નીકળ્યો
May 20, 2025 05:26 PMવાળને નેચરલી બ્લેક કરવા માટે, મહેંદીમાં મિક્સ કરો આ 3 વસ્તુઓ
May 20, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech