જામનગરના બર્ધનચોકમાં વિજ થાંભલામાં સ્પાર્ક થઈ તણખા પડતાં નાસભાગ

  • June 08, 2024 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિજતંત્રની ટુકડીએ સમગ્ર વિસ્તારનો વિજ પુરવઠો બંધ કરાવી તાત્કાલિક સમાર કામ હાથ ધર્યું


જામનગરમાં બર્ધનચોક વિસ્તારમાં રાત્રિના ૯.૪૫ વાગ્યાના અરસામાં એક વિજ થાંભલામાં એકાએક શોર્ટ સર્કિટ થવાના કારણે તણખા પડવા લાગ્યા હતા, જેના કારણે ભારે નાસભાગ થઈ હતી. જે વિસ્તારમાં તણખા પડી રહ્યા હતા, ત્યાં લોકોને ખૂબ જ ભીડ હતી, તેમજ પથારા વાળાઓ પણ ત્યાં ધંધો કરતા હતા, અને નાશભાગના દ્રશ્યો જોવા મળ્યા હતા.


સમગ્ર બનાવની વિજ તંત્રને જાણ થવાથી દરબારગઢ વિસ્તારનો વીજ પુરવઠો તાત્કાલિક અસરથી બંધ કરાવ્યો હતો, અને વિજતંત્રની ટુકડી દ્વારા તુરતજ સમારકામની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી હતી, અને વિજ પુરવઠો પુન શરૂ કરી દેવાયો હતો, જેથી હાશકારો અનુભવાયો હતો. પરંતુ એટલા સમય માટે ભારે અફડાતફડી મચી ગઈ હતી. જોકે સદભાગ્ય કોઈ વ્યક્તિ દાજી જવાનો બનાવ બન્યો ન હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application