ઘરમાંથી હાંકી કાઢ્યાની ફરિયાદ
જામનગરમાં ખોજાનાકા વિસ્તારમાં રહેતી એક પરણીતાને શ્વસુરપક્ષના સભ્યોએ મારકુટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢ્યા ની ફરિયાદ મહિલા પોલીસમાં નોંધાવાઈ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોજા નાકા વિસ્તારમાં રહેતી શિવાની બેન પ્રવીણભાઈ ડગરા નામની ૨૫ વર્ષની પરણીત યુવતીને અંધાશ્રમ નજીક શિવ પાર્ક ફોલોની માં રહેતા તેણીના શ્વસુરપક્ષ ના સભ્યોએ મારફૂટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢી હતી, આથી તેણીએ જામનગરના મહિલા પોલીસ મથકના સંપર્ક સાધ્યો હતો, અને પોતાના સાસરિયાઓ સામે ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે પતિ પ્રવીણ ડોસાભાઈ ડગરા, સસરા ડોસાભાઇ હરજીભાઈ ડગરા, સાસુ કમીબેન ડોસાભાઈ ડગરા, જેઠાણી રામીબેન કરણભાઈ ડગરા, અને નણંદ લક્ષ્મીબેન ડોષાભાઈ ડગરા વગેરે સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech