સારવારમાં ખસેડાયો: મકાન બાબતના મનદુ:ખમાં કથીત ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો
જામનગર મહાનગરપાલીકાના શિક્ષણ સમિતના ચેરમેનની કારના ડ્રાઇવર અને ગોકુલનગર વિસ્તારમાં રહેતા એક યુવાને ઝેરી પ્રવાહી પી લેતા તાબડતોબ સારવાર માટે અત્રેની જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો, મકાન બાબતના ચાલતા મનદુ:ખમાં આજુબાજુવાળાના કથીત ત્રાસથી દવા પીધાનું પ્રાથમીક અનુમાન લગાવીને પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા ભરતસિંહ વજુભા ચુડાસમા (ઉ.વ.35) નામના ક્ષત્રીય યુવાને ગઇકાલે મોડી સાંજે ઝેરી પ્રવાહી પીને આપઘાતનો પ્રયાસ કરતા તેને તાકીદે જી.જી. હોસ્પીટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, બનાવની જાણ થતાં પોલીસ ટુકડી હોસ્પીટલ ખાતે દોડી ગઇ હતી, ભરતસિંહ જામનગર મહાનગરપાલીકા શિક્ષણ સમિતિના ચેરમેનની ગાડીનો ડ્રાઇવર હોવાનું અને નવા મકાન બાબતના ચાલતા મનદુ:ખમાં કથીત ત્રાસના કારણે ઝેરી પ્રવાહી પી લીધાનું અનુમાન લગાવવામાં આવ્યું છે, પોલીસ દ્વારા ક્ષત્રીય યુવાનનું નિવેદન નોંધવા સહિતની તપાસ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech