સારવારમાં ખસેડાયો: મકાન બાબતના મનદુ:ખમાં કથીત ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો
જામનગર મહાનગરપાલીકાના શિક્ષણ સમિતના ચેરમેનની કારના ડ્રાઇવર અને ગોકુલનગર વિસ્તારમાં રહેતા એક યુવાને ઝેરી પ્રવાહી પી લેતા તાબડતોબ સારવાર માટે અત્રેની જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો, મકાન બાબતના ચાલતા મનદુ:ખમાં આજુબાજુવાળાના કથીત ત્રાસથી દવા પીધાનું પ્રાથમીક અનુમાન લગાવીને પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા ભરતસિંહ વજુભા ચુડાસમા (ઉ.વ.35) નામના ક્ષત્રીય યુવાને ગઇકાલે મોડી સાંજે ઝેરી પ્રવાહી પીને આપઘાતનો પ્રયાસ કરતા તેને તાકીદે જી.જી. હોસ્પીટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, બનાવની જાણ થતાં પોલીસ ટુકડી હોસ્પીટલ ખાતે દોડી ગઇ હતી, ભરતસિંહ જામનગર મહાનગરપાલીકા શિક્ષણ સમિતિના ચેરમેનની ગાડીનો ડ્રાઇવર હોવાનું અને નવા મકાન બાબતના ચાલતા મનદુ:ખમાં કથીત ત્રાસના કારણે ઝેરી પ્રવાહી પી લીધાનું અનુમાન લગાવવામાં આવ્યું છે, પોલીસ દ્વારા ક્ષત્રીય યુવાનનું નિવેદન નોંધવા સહિતની તપાસ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયાના વિરમદળ ગામે કુવામાં ડૂબી જતા પરપ્રાંતિય યુવાનનું અપમૃત્યુ
July 03, 2024 11:46 AMજૈનાચાર્યની ચતુર્થ પુણ્યતિથિ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ
July 03, 2024 11:43 AMખંભાળિયાની સેવાકુંજ હવેલીમાં રવિવારથી સર્વોત્તમ સ્તોત્રના પાઠનો મહોત્સવ
July 03, 2024 11:40 AMજામનગરમાં ગુનાખોરીને અટકાવવા સિટી-એ ડિવિઝન સર્વેલન્સ પોલીસની 'નાઇટ ટ્રાફિક ડ્રાઇવ' યોજાઇ
July 03, 2024 11:39 AMદેવભૂમિ દ્વારકામાં પેનલ એડવોકેટ તરીકે જિલ્લા અદાલત સાથે જોડાવાની તક
July 03, 2024 11:37 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech