પાક નુકશાનીનું તત્કાલ રાહત પેકેજ જાહેર કરી, રાજય સરકારે ખેડૂતોની દિવાળી સુધારી: રમેશ મુંગરા
સમગ્ર રાજયમાં ચોમાસામાં થયેલ અતિવૃષ્ટિ અને ત્યારબાદ કમોસમી વરસાદના કારણે રાજયના ઘણા વિસ્તારોમાં પાકને નુકશાન ગયેલ છે ત્યારે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કેબીનેટે ખેડૂતો માટે ઉદાર હ્યદયે 1419.9ર કરોડના માતબર રાહત પેકેજને જિલ્લા ભાજપના સર્વે આગેવાનોને ઉમળકાભેર આવકારેલ છે જેમાં એન.ડી.આર.એફ. માંથી 1097.37 કરોડ તથા રાજય સરકારના બજેટમાંથી 3રર.ર3 કરોડ સહાય પેટે ચૂક્વવામાં આવશે.
પેકેજની વિશેષ્ા વિગતોમાં 136 તાલુકાના 681ર ગામોના 7 લાખ જેટલા ખેડૂતોને આ સહાયનો લાભ મળનાર છે. ખરીફ-ર0ર4 મુજબ વાવેતર કરેલ બિનપીયત ખેતી પાકોમાં 33% કે તેથી વધુ નુકશાન બદલ હેકટર દીઠ કુલ ા. 11000 એમ ઓછામાં ઓછા ર હેકટર એટલે કુલ ા. રર000/- ની સહાય મળવાપાત્ર થશે. આ ઉપરાંત પિયત પાકોમાં કુલ ા. રર000/- મુજબ સહાય આપવામાં આવશે.
જિલ્લા ભાજપના તમામ આગેવાનોએ સંયુક્ત અખબારી યાદીમાં જણાવ્યું છે કે, રાજયમાં પ્રથમ વખત આટલી માતબર રકમની સહાય ચૂક્વીને દિવાળી પર જગતના તાત પર આવેલ કુદરતી આફત સામે સરકારે પોતાની સંવેદનનાનો પરિચય આપી ભાજપ સરકારની ખેડૂત કલ્યાણની પ્રતિબધ્ધતાને ફરી એક વખત સિધ્ધ કરેલ છે. જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરચર, પૂર્વ મંત્રી આર. સી. ફળદુ, જિલ્લા મહામંત્રીઓ દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, અભિષ્ોક પટવા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્યો ચીમનભાઈ શાપરીયા, બ્રિજરાજસિંહ જાડેજા, ચીરાગભાઈ કાલરીયા, વલ્લભભાઈ ધારવીયા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સુર્યકાંતભાઈ મઢવી, ડો. પી. બી. વસોયા, ચેંશભાઈ પટેલ, પ્રદેશ કારોબારી સભ્યો દિલીપસિંહ ચુડાસમા, ડો. વિનોદ ભંડેરી સહિતના અગ્રણીઓએ રાજય સરકાર-પ્રદેશ નેતૃત્વ-મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ-કૃષ્ાીમંત્રી રાઘવજીભાઈ પટેલનો તમામ ખેડૂતો વતી આભાર માની અભિનંદન પાઠવેલ હોવાનું મીડીયા સેલના ક્ધવીનર નરેન્દ્રસિંહ પરમારની અખબારી યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech