પરિણીતાને દુ:ખ ત્રાસ આપી દહેજ માંગ્યાની ૬ સાસરીયા સામે ફરીયાદ : નાની નાની બાબતોમાં મેણાંટોણા માર્યા : સોનુ, ગાડી લાવવાની માંગણી કરી : પોલીસબેડામાં ચકચાર
પરિણીતાને લગ્નજીવન દરમ્યાન નાની નાની બાબતોમાં કરીયાવર સહિતના મામલે મેણાટોણા મારીને દુ:ખત્રાસ આપી દહેજ માંગ્યાની જામનગરના પીએસઆઇ સહિત ૬ સાસરીયાઓ સામે અહીંના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. જે ફરીયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જાણવા મળતી વિગત મુજબ હાલ રાજકોટના ચંદ્રોદ સાંઇબાબા પાર્ક બ્લોક નં. ૮, બીગબજાર પાછળ રહેતી પ્રિયાબા યશપાલસિંહ રાણા (ઉ.વ.૩૫) નામની પરિણીતાએ જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં હાલ જામનગરમાં ગોકુલધામ સોસાયટી, સાશ્ર્વત એપાર્ટમેન્ટ ખાતે રહેતા મુળ સુરેન્દ્રનગર લીંબડીના વતની પતિ પીએસઆઇ યશપાલસિંહ બળદેવસિંહ રાણા, સાસુ પ્રિતીબા બળદેવસિંહ રાણા, સસરા બળદેવસિંહ બહાદુરસિંહ રાણા, જેઠાણી મેઘનાબા હરપાલસિંહ રાણા, જેઠ હરપાલસિંહ બળદેવસિંહ રાણા, નણંદ આરતીબા વિશ્ર્વજીતસિંહ વાઘેલાની વિરુઘ્ધ આઇપીસી કલમ ૪૯૮(એ), ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪, દહેજ પ્રતિબંધ ધારા મુજબ ફરીયાદ નોંધાવી છે.
જેમાં જણાવ્યું છે કે ફરીયાદીના ઉપરોકત પતિ, સાસુ, સસરા, જેઠ, જેઠાણી અને નણંદે લગ્નજીવન દરમ્યાન અવાર નવાર ફરીયાદી સાથે ઝઘડાઓ કરી, અપશબ્દો બોલી, મારકુટ કરીને જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી ઉપરાંત પરિણીતા પાસે દહેજ પેટે પૈસા, સોનાના દાગીનાની માંગણી કરી તેણીને શારીરીક, માનસીક દુ:ખત્રાસ આપી એકબીજાને મદદગારી કરી હતી.
વધુમાં જાણવા મળેલી વિગત મુજબ ફરીયાદી પ્રિયાબાના લગ્ન જ્ઞાતીના રીત રીવાજ મુજબ યશપાલસિંહ સાથે ૨૦૦૯માં થયા હતા અને લગ્ન જીવનમાં સંતાનમાં ૧ પુત્ર છે, લગ્ન બાદ પતિ સાથે મોટા ટીંબલા ગામે સંયુકત પરિવારમાં રહેતા હતા, એ પછી સાસરીયાઓએ પતિને તેણી વિરુઘ્ધ ચડામણી કરી ઝઘડાઓ કરાવતા હતા, નાની નાની બાબતોમાં ચડામણી કરી તેણીને માર મારેલ હતો અને કરીયાવરમાં આપેલ સરસામાન અને દાગીના બાબતે મેણાટોણા મારતા હતા ઉપરાંત અલગ સોનાના દાગીનાની માંગણી કરવામાં આવતી હતી.
એ પછી સાસરીયાઓ દખલગીરી કરી અને પતિને ઉશ્કેરતા ઢોર માર મારવામાં આવ્યો હતો અને ફોન કરીને તેડી જવાનું કહયુ હતું, બોટાદમાં એકાદ મહીનો સારી રીતે રહયા બાદ પતિનું મારા પ્રત્યેનું વર્તન બદલાઇ ગયુ હતું, બોલાવતા નહી અને વાત કરતા નહીં તેમજ દહેજની માંગણી કરવામાં આવી હતી. ત્યારબાદ અવાર નવાર ઝઘડાઓ કરી પીએસઆઇ પત તેમની સર્વિસ રીવોલ્વર બતાવી ધમકી દઇ છુટા છેડા કરી દેવા છે તેમ કહેતા હતા અને મારા માવતરે આવી ગઇ હતી. ત્યારબાદ સામાધાનના પ્રયત્ન કરેલ પરંતુ સમાધાન કરેલ નહીં, ઉપરાંત આ ફરીયાદમાં પતિને અન્ય સ્ત્રી સાથે સબંધ ધરાવતા હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે તેમજ જામનગર પોલીસ અધિક્ષકને સંબોધીને અગાઉ એક અરજી પણ કરવામાં આવી હતી જે તે વખતે પતિએ થોડો સમય માંગ્યો હતો અને ત્યારબાદ કોલ કરીને ધમકી આપી હતી, આ અંગેની ફરીયાદ દાખલ થતા પોલીસબેડા સહિતમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિલ્કી સોફ્ટ હેર માટે આ રીતે ઘરે જ બનાવો નેચરલ કંડિશનર
July 07, 2024 11:58 PMચહેરા પર આ રીતે કેળાની છાલનો કરો ઉપયોગ, નિસ્તેજ ત્વચામાં આવશે નિખાર
July 07, 2024 11:58 PMઝડપથી ઘટી રહ્યું છે પૃથ્વીનું પાણી, માત્ર આટલા સમયમાં 450 ઘન કિલોમીટર ભૂગર્ભજળ ઘટ્યું !
July 07, 2024 11:57 PMજાણો કોણ છે મુંબઈમાં BMW વડે મહિલાને ઉડાવી દેનાર મિહિર શાહ ?
July 07, 2024 11:54 PMએશિયા કપ 2024 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ 15 ખેલાડીઓને મળ્યું સ્થાન
July 07, 2024 11:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech