નલ સે જલની મોટી મોટી વાતો કરતી જામનગર મહાનગરપાલિકા

  • May 24, 2024 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરના વિપક્ષી કોર્પોરેટર આનંદ રાઠોડ દ્વારા જામનગરના કમિશનરને પત્ર મોકલીને જણાવ્યું છે કે જામનગર મહાનગરપાલિકા વોટર વર્કસ શાખાના અધિકારી હજી પણ સ્વીકારતા નથી કે પાણી ખાલી થઇ ગયું છે, મનપા દ્વારા ઘોર બેદરકારી થઇ રહી છે. હાલ જામનગરમાં રણજીતસાગર ડેમ કે સસોઇ ડેમમાંથી પણ શહેરના તમામ ઝોનના ટાંકામાં પાણી પુરતું સપ્લાય કરવામાં આવતું નથી. મનપા દ્વારા મોટી મોટી જાહેરાતો કરી નલ સે જલની યોજનાની મોટી મોટી વાતો કરવાવાળા કયાં ગયા બધા અધિકારી અને પદાધિકારી વિપક્ષી કોર્પોરેટર આનંદ રાઠોડ દ્વારા પત્રમાં આક્ષેપ કમિશનરને કરવામાં આવ્યો છે.


હાલ આવા ઉનાળાની કાળજાળ ગરમીમાં છેલ્લા 8 દિવસથી જામનગર શહેરની પ્રજાને પુરતું પાણી પણ નથી આવતું. જયારે જનતા પાસેથી 365 દિવસનું આ વર્ષનું પુરું વોટર ટેક્ષ લેવામાં આવે છે. અને પાણી માત્ર 150 દિવસ જ આપવામાં આવે છે. જયારે અધિકારીને ફરીયાદ કરવામાં આવે તો બહાનાની લીસ્ટ આપવામાં આવે છે. તેવું પત્રમાં જણાવ્યું છે.

એક તરફ આ ઉનાળામાં બોરના પાણી પણ તળીયાજાટક થઇ ગયા છે. અને એમાં પણ મનપા દ્વારા એકાંતરે પણ પાણી પુરતું આપવામાં આવતું નથી, અને પાણી આવે ત્યારે અમુક વિસ્તારમાં અશુદ્ધ પાણી આવે છે. અને જયાં શુદ્ધ પાણી આપે છે તો ત્યાં પુરતો સમય પાણી ભરવા માટે અપાતો નથી. આવી બેદરકારી વોટરવર્કસ શાખાના લાખો પિયાના પગાર મેળવતા અધિકારીઓ શું કરી રહ્યા છે. ગત બજેટમાં વોટર ટેક્ષમાં મનપા દ્વારા 200 પિયાનો વધારો કરવામાં આવે છે. અને ટેક્ષ પણ પુરેપુરો લેવામાં આવે છે. આ ગરીબ અને ભોળી પ્રજાના શુદ્ધ ટેક્ષના પૈસાને કેમ અશુદ્ધ અને અનિયમિત પાણી મનપા દ્વારા અપાય છે. જો પ્રજાના શુદ્ધ પૈસાનું વળતર આપવામાં નહિ આવે તો આવતા દિવસોમાં આંદોલન સાથે ધરણા કરવામાં આવશે તેવું પત્રમાં વિપક્ષી કોર્પોરેટર આનંદ રાઠોડ દ્વારા કમિશનર તથા વોટર વર્કસ શાખાના અધિકારીઓને ચિમકી આપી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application