જામનગર હાઇવે ફલ્લાથી રામપર વચ્ચે ટ્રેકટર ટ્રોલીમાં બેસી દ્વારકા જતા હતા ત્યારે કારે ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં વધુ એક મહિલાનું મૃત્યુ થતા મૃત્યુ આંક બે થયો છે જયારે ઇજાગ્રસ્તો પૈકી એક વૃઘ્ધની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે.
વાંકાનેર પંથકના યાત્રાળુઓ દ્વારકા દર્શનાર્થે ટ્રેક્ટરમાં બેસીને જઈ રહ્યા હતા, જે દરમિયાન ફલ્લા નજીક એક કારના ચાલકે ટ્રેકટરને ઠોકર મારતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં વાંકાનેર પંથકની કિરણબેન જયરાજભાઇ વિજવાડિયા નામની ૧૯ વર્ષની યુવતીને ગંભીર ઈજા થઈ હોવાથી તેણીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય ૧૫ જેટલા યાત્રાળુઓ ઇજાગ્રસ્ત બન્યા હતા.
ઉપરોક્ત અકસ્માતના બનાવમાં વધુ એક મહિલા શાંતાબેન શામજીભાઈ વિજવાડિયાનું જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું, જેથી આ અકસ્માતના બનાવવામાં મૃત્યુનો આંક બે નો થયો છે. જ્યારે અન્ય વ્યક્તિ સારવાર હેઠળ છે, જે પૈકીના અન્ય એક વૃદ્ધની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. સમગ્ર ઘટનાની જાણ થતા વાંકાનેર પંથકના મૃતક અને ઈજાગ્રતના પરિવારજનો જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોની સારવારમાં મદદ કરી હતી, તેમજ અન્ય ઇજાગ્રસ્તોને વાંકાનેર અથવા રાજકોટ ખસેડવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર બનાવ મામલે પંચકોષી એ. ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ એ. કે. પટેલ તપાસ ચલાવી રહયા છે.આ અંગે ભીમગુડા ગામમાં રહેતા કરશન જુગારભાઇ વિજવાડીયા (ઉ.વ.૪૫)એ પંચ-એમાં ગઇકાલે હેરીયર કાર નં. જીજે૩૭એમ-૬૪૬૫ના ચાલક સામે ફરીયાદ નોંધાવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં જણાવ્યું હતું કે ફલ્લા-રામપર વચ્ચે ફરીયાદી તથા સાહેદો પોતાના ગામથી ટ્રેકટર ટ્રોલીમાં બેસીને દ્વારકા જઇ રહતા હતા ત્યારે કારના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી ઠોકર મારી ટ્રોલી ઉંધી વાળી દેતા તેમા બેઠેલાઓને ઇજાઓ થઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech