આજી વસાહત વિસ્તારમાં આવેલી અમુલ ઇન્ડસ્ટ્રીઝ કે જે કામદારને પગાર ન ચૂકવતા સીલ કરવામાં આવી હતી. બધં પડેલી આ ફેકટરીમાંથી ટીવી, લેપટોપ સહિત . ૨૧,૦૦૦ ની મત્તાની ચોરી થયા અંગેની મામલતદાર દ્રારા આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
રાજકોટમાં રેસકોર્સ રીંગરોડ પર સરકારી કવાર્ટરમાં રહેતા મૂળ નડિયાદના વતની શૈલેષકુમાર જેઠાભાઈ ચાવડા (ઉ.વ ૫૭) દ્રારા આ અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ રાજકોટ શહેર પૂર્વમાં મામલતદાર તરીકે ફરજ બજાવે છે. આજી વસાહત પ્લોટ નંબર ૩૩૨, ૩૩૩ માં આવેલ અમુલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી કે જેમાં કામ કરતાં કામદારોના વેતનના બાકી નાણા વસૂલવા મજુર અદાલતના નિર્દેશના પગલે ગત તારીખ ૧૨૧૨૦૨૪ ના રોજ આ ઇન્ડસ્ટ્રીઝ સીલ કરવામાં આવી હતી.ફેકટરી સીલ કરાઇ ત્યારે અહીં રહેલ સામાનની વિડીયોગ્રાફી કરી સીલ કરવામાં આવી હતી.
દરમિયાન ગત તારીખ ૩૧૮૨૦૨૪ અમદાવાદમાં સુંદરમ ફાસ્ટનેર્સ લી. નામની કંપનીએ આ અમુલ ઇન્ડસ્ટ્રીઝ ખરીદવા રસ દાખવતા રાજકોટમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદમાં અને કોઈ નુકસાન તો થયું નથી ને? તે જોવા માટે તારીખ ૧૯ ૨૦૨૪ ના અહીં સીલ ખોલી તપાસ કરવામાં આવતા ઉપર ઓફિસ નંબર એકનો મુખ્ય દરવાજો જે કાચનું હોય તે દરવાજો તૂટેલી હાલતમાં હતો જે જોતા અહીં ચોરી થઈ હોવાનું માલુમ પડું હતું.
બાદમાં તપાસ કરતા અહીંથી સોની કંપનીનું ટીવી, જુના જેવું લેપટોપ, સીપીયુ નગં છ ગેસ મશીનસહિત કુલ પિયા ૨૧,૦૦૦ ની મત્તાની ચોરી થયાનું માલુમ પડું હતું. જેથી આ અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદલિતો પરના અત્યાચાર મામલે ગુજરાત ૧૨માં ક્રમે, યુપી ટોચ પર
September 23, 2024 02:38 PMતાવ વખતે કપાળ પર પાણીના પોતા ક્યારે મુકવા જોઈએ? જાણી લો સાચી રીત
September 23, 2024 02:38 PMપોરબંદર શહેરની સમસ્યાઓનું નિરાકરણ તાત્કાલિક કરાવવું જરૂરી
September 23, 2024 02:36 PMઆતિષીની બાજુમાં રાખેલી ખાલી ખુરશીનો શું છે અર્થ, દિલ્હી સરકાર માત્ર કેજરીવાલ જ ચલાવશે?
September 23, 2024 02:35 PMરેશનકાર્ડ નહીં હોય તો સ્કોલરશિપ નહીં મળે: શિક્ષણ વિભાગનો નવો ફતવો
September 23, 2024 02:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech