જામનગરમાં વકીલની હત્યા પુર્વે આરોપીઓએ રેકી કર્યાનું ખુલ્યું

  • March 28, 2024 12:06 PM 

અન્ય આરોપીઓ ટુંક સમયમાં સકંજામાં આવશે : એસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ


જામનગરમાં વકીલ હાન પલેજાની હત્યા પ્રકરણમાં બે સગીર સહિત 8 આરોપીની અટક કરી છે અને બાકીના આરોપીઓને તાકીદે એક અઠવાડીયાની અંદર પકડી લેવા માટે ટીમો દોડતી કરાઇ છે તેમ પોલીસે જણાવ્યુ હતું આરોપીઓએ પુર્વ આયોજીત કાવત રચી રેકી કરી વારદાતને અંજામ આપ્યો હતો.


જામનગર શહેરમાં ગત તા. 13-3ના રોજ બેડી વિસ્તારમાં જાણીતા વકીલ હાન પલેજાનું ખુન થયેલ હતુ જેમા કુલ 15 આરોપીઓ વિરુઘ્ધ ફરીયાદ દાખલ થયેલ છે. આ ગુનાની જીણવટભરી અને ઉંડાણથી તપાસ થાય તે માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની સીધી દેખરેખ હેઠળ સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ બનાવેલ હતી અને આ ગુનાી તપાસ મુખ્ય અધિકારી તરીકે પીઆઇ એન.એ. ચાવડાની નિમણુંક કરેલ છે.


આ ગુનાના આરોપીઓ સત્વરે પકડાય તે માટે એલસીબી પીઆઇ વી.એમ. લગારીયા, એસઓજી પીઆઇ બી.એન. ચૌધરી તથા પીએસઆઇ આર.એમ. કરમટા, પીએસઆઇ એલ.એમ. જેર તેમજ સીટી-બી સર્વેલન્સ પીએસઆઇ કે.ડી. જાડેજાને સુચના કરી આરોપીઓ પકડવા અલગ અલગ ટીમ બનાવેલ હતી આ રીતે ત્વરીત કામગીરી હાથ ધરી હતી.


તપાસ દરમ્યાન કુલ 6 આરોપીઓ બશીર જુસબ સાયચા, ઇમરાન નુરમામદ સાયચા, સિકંદર ઉર્ફે સિકલો નુરમામદ સાયચા, રમજાન સલીમ સાયચા રે. બધા બેડી ઢાળીયા પાસે, ગરીબનગર પાણાખાણ, તથા દિલાવર હુશેન કકકલ, સુલેમાન હુશેન કકકલ  રહે. બંને બેડી દિવેલીયા ચાલી, ભારત મીલ પાછળ તેમજ બે કાયદાથી સંઘર્ષીતની ધરપકડ કરવામાં આવેલ છે જયારે બાકીના આરોપી સત્વરે પકડવા માટે તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application