મથુરામાં પણ ભવ્ય મંદિર બનાવવું જરૂરી: ડો.તોગડીયા

  • September 25, 2024 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઇકાલે હિન્દુ નેતા ડો.પ્રવિણ તોગડીયાએ દ્વારકાધીશજીના દર્શન કર્યા


પહેલા ભગવાન શ્રી રામનું ધનુષ સપનામાં દેખાતું હતું, હવે શ્રી કૃષ્ણનું સુદર્શન દેખાય છે, આગામી દિવસોમાં મથુરામાં પણ ભવ્ય મંદિર બનાવવું જોઇએ તેમ આતંરરાષ્ટ્રિય વિશ્ર્વ હિન્દુ પરીષદના સ્થાપક ડો.તોગડીયાએ દ્વારકા ખાતે જગતમંદિરમાં દર્શન કરીને વાતચીત કરતા જણાવ્યૂં હતું.


ગઇકાલે ડો.તોગડીયા વિર હનુમાન રક્ષા યાત્રા પ્રસંગે જામનગર આવ્યા બાદ દ્વારકાની મુલાકાત લીધી હતી અને તેઓએ જણાવ્યું હતું કે, વિર હનુમાન રક્ષા યાત્રા ગામડે-ગામડે ફરશે, તી પતિ મંદિરના પ્રસાદ અંગે તેઓએ જણાવ્યું હતું કે, ભગવાનને શુઘ્ધ ઘીનો પ્રસાદ ધરાવવો જોઇએ, કરોડો લોકો ભગવાનના દર્શને આવે છે ત્યારે તે શ્રઘ્ધાથી આવે છે, ત્યારે એની આસ્થા સાથે કોઇ ચેડા ન થવા જોઇએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application