ઈઝરાયેલનો સિરિયા પર હવાઈ હુમલો ઈરાની દૂતાવાસ જમીનદોસ્ત, ૭ના મોત

  • April 02, 2024 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઈઝરાયેલએ સિરિયા પર હવાઈ હત્પમલો કર્યેા છે જેમાં ઈરાની દૂતાવાસ જમીનદોસ્ત બની ગયું છે. આ ઘટનામાં ૭ના મોત થયાની આશંકા છે. કર્મચારીઓ એ બચાવ કાર્ય શ કરી દીધું છે.ઈરાનના અલ આલમ અને અરબી ક્ષેત્રના ટેલિવિઝન સ્ટેશન અલ મદીને કહ્યું કે આ હત્પમલામાં ઈરાની સેના સલાહકાર જનરલ અલી રજા જહદીનું મોત થયું. જહદીએ પહેલા ૨૦૧૬ સુધી લેબનાન અને સિરિયામાં ઈરાની કુલીન કુદસ ફોર્સનું નેતૃત્વ કર્ય હતું. ઈઝરાયેલના હવાઈ હત્પમલામાં દમાસ્કસમાં ઈરાની એમ્બેસીના કોન્સ્યુલર ડિવિઝનની ઈમારતને નુકસાન પહોંચ્યું. જાણકારી મુજબ ઈમારતની અંદર હાજર તમામ લોકોના મોત થયા અથવા તે ઘાયલ થયા છે. ઈરાનના રાજદૂત હત્પસૈન અકબરીએ ઈઝરાયેલની નિંદા કરી અને કહ્યું કે આ હત્પમલામાં ઓછામાં ઓછા ૭ લોકોનું મોત થયું છે. તેમને કહ્યું કે બચાવ કર્મચારીઓને હજુ પણ અમુક લોકો કાટમાળ નીચે ફસાયા હોય તેવી આશંકા છે. રાજદૂતે કહ્યું કે ઈમારતની સુરક્ષામાં તૈનાત બે પોલીસ અધિકારી ઘાયલ થયા છે

ઈરાની રાજદૂતનું આવાસ
સિરિયાના વિદેશ મંત્રી ફૈસલ મેકદાદે ઈરાનના રાજદૂત અકબરી સાથે મુલાકાત બાદ જણાવ્યું કે ઘણા લોકો માર્યા ગયા છે. ઈરાનના સરકારી ટેલિવિઝને પોતાના અહેવાલમાં કહ્યું કે ઈરાની રાજદૂતનું આવાસ કાંસુલર ભવનમાં હતું, જે દુતાવાસની પાસે સ્થિત હતું. સમાચાર એજન્સીએ કહ્યું કે માઝેહના કડક સુરક્ષાવાળા વિસ્તારમાં ઈમારત જ જમીનદોસ્ત થઈ ગઈ છે. રાહતકર્મીઓ કાટમાળ નીચે દટાયેલા મૃતદેહોને શોધી રહ્યા છે. ઈઝરાયેલી સેનાએ તરત જ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application