દીકરીઓમાં બાળપણથી જ આધ્યાત્મિક મુલ્યોનો વિકાસ થાય, સંસ્કારોનું સિંચન થાય અને સર્વાંગી કેળવણી મળે એ ધ્યેયને સાબિત કરતી સંસ્થા એટલે ભાટીયા ગામે આવેલી સંસ્કાર ગર્લ્સ હોસ્ટેલ. આ હોસ્ટેલમાં શિક્ષણની સાથે સાથે દીકરીઓ તમામ ક્ષેત્રે આગળ વધે. જીવનના વધારેમાં વધારે અનુભવો મળે તથા વિદ્યાર્થી અવસ્થામાં પોતાનો સ્વ વિકાસ કરી શકે એવા ધ્યેયો સાથે આ હોસ્ટેલ ચલાવવામાં આવે છે. જેના ભાગરૂપે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ સ્થાપના કરવામાં આવી હતી. નવ દિવસ હોસ્ટેલમાં સવાર-સાંજ પૂજા-આરતી કરવામાં આવી હતી. બાદમાં વિધિવત દીકરીઓ દ્વારા શોભાયાત્રા કાઢીને ભાટીયા ગામના કેશરીયા તળાવમાં વિઘ્નહર્તા દેવ ગણપતિજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્કાર ગર્લ્સ હોસ્ટેલના સંચાલક જેતીબેન ચાવડા દ્વારા સૌ દીકરીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆરાધ્યા બચ્ચને શિવ રાજકુમારના ચરણસ્પર્શ કરી સંસ્કૃતિ ઉજાળી
September 19, 2024 12:48 PMહેમા અને સંજીવનો એક પણ સીન સાથે આવવો ન જોઈએ
September 19, 2024 12:42 PMપ્રેમ સંબંધને બચાવવા લીધો બ્લેક મેજિકનો સહારો
September 19, 2024 12:39 PMસોરી..આ સ્ટેજ મારું મંદિર છે, અહી ફૂડ ન રાખો
September 19, 2024 12:35 PMદીકરી ની પા પા પગલી થતા જ દીપિકાનું નસીબ ખુલ્યું, વધુ એક પ્રોપર્ટી ખરીદી
September 19, 2024 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech