દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ, આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આજે જંતર-મંતર ખાતે 'પીપલ્સ કોર્ટ'ને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં દિલ્હી સરકારના સમગ્ર કેબિનેટે ભાગ લીધો હતો. આ દરમિયાન કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકે કહ્યું કે, "છેલ્લા દસ વર્ષથી અમે ઈમાનદારીથી સરકાર ચલાવી રહ્યા હતા, અમે વીજળી અને પાણી મફત કર્યું, લોકો માટે સારવાર મફત કરી, શિક્ષણને શ્રેષ્ઠ બનાવ્યું. તેના કારણે મોદીજીએ શરૂઆત કરી. તેમને લાગ્યું કે જો તમે અમારી પાસેથી જીતવા માંગતા હોય તો તમારે અમારી ઈમાનદારી પર હુમલો કરવો પડશે અને પછી તેઓએ કેજરીવાલ, સિસોદિયા અને AAPને બેઈમાન સાબિત કરવા અને નેતાઓને જેલમાં ધકેલી દેવાનું કાવતરું ઘડ્યું."
મોહન ભાગવતને આ 5 પ્રશ્નો પૂછો
જે રીતે મોદીજી અન્ય પક્ષોના નેતાઓને તોડી રહ્યા છે અને દેશભરમાં લોકોને લલચાવીને અથવા ED-CBIનો ડર બતાવીને સરકારો પાડી રહ્યા છે - શું આ દેશની લોકશાહી માટે યોગ્ય છે? શું તમને નથી લાગતું કે આ ભારતીય લોકશાહી માટે હાનિકારક છે?
મોદીએ દેશભરના સૌથી ભ્રષ્ટ નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કર્યા હતા. જે નેતાઓને પોતે થોડા દિવસ પહેલા સૌથી ભ્રષ્ટ ગણાવ્યા હતા. જે નેતાઓને અમિત શાહે ભ્રષ્ટ કહ્યા હતા. થોડા દિવસો પછી તેમને ભાજપમાં સામેલ કર્યા? શું તમે આવી ભાજપની કલ્પના કરી હતી? શું તમે આ પ્રકારના રાજકારણ સાથે સહમત છો?
આરએસએસના ગર્ભમાંથી ભાજપનો જન્મ થયો છે. કહેવાય છે કે ભાજપ ભટકી ન જાય તે જોવાની જવાબદારી આરએસએસની છે. શું તમે ભાજપના આજના પગલાં સાથે સહમત છો? શું તમે ક્યારેય મોદીજીને આ બધું ન કરવા કહ્યું છે?
જેપી નડ્ડાએ ચૂંટણી દરમિયાન કહ્યું હતું કે ભાજપને આરએસએસની જરૂર નથી. આરએસએસ ભાજપની માતા સમાન છે. શું દીકરો એટલો મોટો થઈ ગયો છે કે તે માતાને આંખો બતાવવા લાગ્યો છે? જે પુત્ર માતા-પિતાની દેખરેખમાં ઉછર્યો અને વડાપ્રધાન બન્યો, આજે તે માતૃસંસ્થાને આંખો બતાવી રહ્યો છે. જ્યારે નડ્ડાજીએ આ કહ્યું ત્યારે તમને દુઃખ નહોતું થયું? શું દરેક RSS કાર્યકર્તા દુ:ખી નથી થયા?
આરએસએસ અને ભાજપે સાથે મળીને આ નિયમ બનાવ્યો હતો કે કોઈપણ વ્યક્તિએ 75 વર્ષની વય પૂર્ણ કર્યા પછી નિવૃત્ત થવું પડશે. આ કાયદા હેઠળ અડવાણીજી અને મુરલી મનોહર જોશીજી જેવા મોટા નેતાઓ નિવૃત્ત પણ થયા હતા. હવે અમિત શાહ કહી રહ્યા છે કે તે નિયમ મોદીજી પર લાગુ નહીં થાય. શું તમે સંમત થાઓ છો કે જે નિયમ અડવાણીજી પર લાગુ થયો છે તે મોદીજી
પર લાગુ નહીં થાય?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech