ઈરાની સેનાએ ભારત આવી રહેલા ઈઝરાયેલના અબજોપતિનું જહાજ કર્યુ જપ્ત, 17 ભારતીયો હતા સવાર

  • April 13, 2024 08:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ વધી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન 2 દિવસમાં ઈઝરાયેલ પર હુમલો કરી શકે છે. આ દરમિયાન ઈરાનની સેનાએ ઓમાનની ખાડીમાંથી હોર્મુઝ પાસ થઈને ભારત આવી રહેલા એક માલવાહક જહાજને કબજે કરી લીધું છે.


ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર જહાજમાં 17 ભારતીય નાગરિકો પણ હાજર છે. આ માલવાહક જહાજ લંડન સ્થિત કંપનીનું છે, જેની માલિકી ઈઝરાયેલના અબજોપતિ છે. અગાઉના મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે જહાજમાં 20 ક્રૂ મેમ્બર હતા જેઓ ફિલિપાઈન્સના નાગરિક છે.


ઘટના બાદ ઈઝરાયેલ આર્મીના પ્રવક્તા દાનિયાર હગારીએ કહ્યું- અમે કોઈપણ પ્રકારના હુમલા પર ચૂપ નહીં રહીએ. જેનો જવાબ આપવામાં આવશે. અહીં ભારત-અમેરિકા, બ્રિટન, રશિયા, ફ્રાન્સ અને જર્મની સહિત 6 દેશોએ તેમના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. જેમાં નાગરિકોને ઈરાન અને ઈઝરાયેલ ન જવાની સલાહ આપવામાં આવી છે.


હકીકતમાં 1 એપ્રિલના રોજ ઇઝરાયેલે સીરિયામાં ઈરાની એમ્બેસી નજીક હવાઈ હુમલો કર્યો હતો. જેમાં ઈરાનના બે ટોચના આર્મી કમાન્ડર સહિત 13 લોકો માર્યા ગયા હતા. આ પછી ઈરાને બદલો લેવા ઈઝરાયેલ પર હુમલો કરવાની ધમકી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application