૪ જૂન પહેલા શેરમાં ઇન્વેસ્ટ કરી લેજો, પછી વધશે: શાહ

  • May 14, 2024 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે એક વિશિષ્ટ્ર ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે શેરબજારને ચૂંટણી સાથે જોડવું જોઈએ નહીં, પરંતુ સ્થિર સરકાર તેને વધુ સાં પ્રદર્શન કરવામાં મદદ કરે છે. તેમણે એમ પણ સૂચવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને તેના સાથી પક્ષોની જીતના પરિણામે ૪ જૂન પછી બજાર વધશે.
છેલ્લા કેટલાક સત્રોમાં વિવિધ પરિબળોને કારણે શેરબજારોમાં ભારે કરેકશન જોવા મળ્યું છે. શેરબજારમાં ઘટાડો એ ભાજપના નબળા પ્રદર્શનનો સંકેત છે તેવી અફવાઓ વિશે પૂછવામાં આવતા, અમિત શાહે જણાવ્યું હતું કે બજારમાં અગાઉ ઘણી વખત મોટા કરેકશન જોવા મળ્યા હતા. શેરબજારમાં ઘટાડાને ચૂંટણી સાથે જોડવો જોઈએ નહીં, પરંતુ જો આવી અફવા ફેલાવવામાં આવી હોય તો પણ હત્પં તમને ૪ જૂન પહેલા (શેર) ખરીદવાનું સૂચન કં છું. બાદ તે તેજી નોંધાવશે.
ગૃહમંત્રીએ સેન્સેકસ એક લાખના આંકને પાર કરશે કે કેમ તે અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યેા હતો, પરંતુ તેમણે ટિપ્પણી કરી હતી કે યારે પણ સ્થિર સરકાર હોય છે ત્યારે શેરબજાર સાં પ્રદર્શન કરે છે. તેમણે કહ્યું, તેથી હત્પં કહી રહ્યો છું કે અમને ૪૦૦થી વધુ બેઠકો મળશે અને એક સ્થિર મોદી સરકાર સત્તામાં આવશે. તેથી, શેરબજાર ચોક્કસપણે ઉપર જશે.સોમવારે શઆતના વેપાર દરમિયાન શેર માર્કેટ ૭૦૦ પોઈન્ટથી વધુ ઘટીને ૭૨,૦૦૦ ની નીચે આવી પહોંચી હતી. ૩ મેના રોજ સેન્સેકસએ ૭૫,૦૦૦નો આંકડો પાર કરી ગયો, જે ઓલ ટાઈમ હાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application