નૂંહમાં ઈન્ટરનેટ સેવાઓ 11 ઓગસ્ટ સુધી સ્થગિત, દિવસના કર્ફ્યુમાં રાહત, આદેશો જારી કર્યા

  • August 08, 2023 09:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નૂંહ જિલ્લામાં સાંપ્રદાયિક તણાવને ધ્યાનમાં રાખીને હરિયાણા સરકારે 11 ઓગસ્ટની મધ્યરાત્રિ 12 સુધી ઇન્ટરનેટ સેવાઓનું સસ્પેન્શન લંબાવ્યું છે. નૂહ જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ, તમામ SMS સેવાઓ (ફક્ત બલ્ક SRVMS અને બેંકિંગ અને મોબાઈલ રિચાર્જ સિવાય) અને તમામ ડોંગલ સેવાઓ વગેરેને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.


વોઈસ કોલ જ ચાલુ રહેશે

જિલ્લામાં માત્ર વોઈસ કોલ જ કાર્યરત રહેશે. આ અંગેના આદેશ ગૃહ વિભાગના સચિવ શ્રી TVSN પ્રસાદ દ્વારા જારી કરવામાં આવ્યા છે. નૂહના ડેપ્યુટી કમિશનરે માહિતી આપી છે કે નૂહમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હજુ પણ તંગ છે. તેને જોતા 11 ઓગસ્ટ સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.


આ સમયે કર્ફ્યૂમાંથી મળશે રાહત

ઉલ્લેખનીય છે કે, નૂંહ જિલ્લામાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા લાદવામાં આવેલા કર્ફ્યુમાં 9 ઓગસ્ટના રોજ સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી રાહત આપવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application