મણિપુરમાં ઈન્ટરનેટ પ્રતિબંધ 30 જૂન સુધી લંબાવાયો

  • June 26, 2023 12:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિંસાગ્રસ્ત મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાના હેતુથી રાજ્ય સરકારે ઈન્ટરનેટ સેવાઓના સસ્પેન્શનને 30 જૂન સુધી લંબાવ્યું છે. અથડામણો અને હિંસાથી પ્રભાવિત પૂર્વોત્તર રાજ્યમાં ઈન્ટરનેટ સેવાઓ પરનો પ્રતિબંધ 30 જૂનના રોજ બપોરે 3 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે. 


મળતી માહિતી પ્રમાણે અથડામણ અને હિંસાથી પ્રભાવિત પૂર્વોત્તર રાજ્યમાં ઈન્ટરનેટ સેવાઓ પરનો પ્રતિબંધનો સમયગાળો ફરી વધારવામાં આવ્યો છે. જેને હવે 30 જૂન બપોરે 3 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે. રાજ્યમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પરનો પ્રતિબંધ 'વિક્ષેપ'ને કારણે લંબાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અશાંતિના કારણે રાજ્યમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પરનો પ્રતિબંધ લંબાવવામાં આવ્યો.


આ કારણે પ્રતિબંધ વધ્યો
એવી આશંકા છે કે કેટલાક અસામાજિક તત્વો નફરતભર્યા ભાષણો, દ્વેષપૂર્ણ ભાષણો અને જાહેર ભાવનાઓને ઉશ્કેરતા વીડિયો સંદેશાઓ ફેલાવવા માટે મોટા પ્રમાણમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે. જેને લઈને સરકાર દ્વારા ઈન્ટરનેટ સેવાઓ પરનો પ્રતિબંધ લંબાવવામાં આવ્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application