જામનગર જીલ્લાના ૨૬ પોલીસકર્મીઓની આંતરીક બદલી

  • November 23, 2023 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એસઓજીમાં ૩ મુકાયા: એસપી દ્વારા બદલીના કરાતા ઓર્ડર

જામનગર શહેર જીલ્લા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ૨૬ કર્મચારીઓને આંતરીક બદલીના ઓર્ડર એસપી દ્વારા ગઇકાલે કરવામાં આવ્યા હતા, આ ઓર્ડરમાં ૩ કર્મીઓને એસઓજીમાં મુકવામાં આવ્યા છે.
જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા ગઇકાલે શહેર-જીલ્લાના અલગ અલગ વિભાગમાં અને પોલીસ મથકમાં ફરજ બજાવતા ૨૬ કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી, જેમાં ધ્રોલના ચંદ્રેશ પરમારને હેડ કવાર્ટર, એમટી વિભાગના દેવાભાઇ ગોલતરને સીપીઆઇ ધ્રોલ કચેરી, ઇન્દ્રજીતસિંહ જાડેજાને મેઘપર, સીટી-સીના શૈલેષભાઇ કોરાટને ધ્રોલ રાઇટર હેડ તરીકે, હેડ કવાર્ટરના કુલદીપસિંહ સોઢાને સાયબર ક્રાઇમ તથા સાયબર ક્રાઇમના રાહુલભાઇ મકવાણાને હેડ કવાર્ટર ખાતે મુકયા છે.
આ ઉપરાંત સીટ-બીના તૌસીફ તાયાણી, સીટી-એના હિતેશભાઇ મકવાણા, સીટી-બીના બળભદ્રસિંહ જાડેજા આ ત્રણેયને એસઓજીમાં, એસઓજીના રાજેશ મકવાણાને ધ્રોલ, કાલાવડના ધર્મેન્દ્રસિંહ કંચવાને જામજોધપુર, હેડ કવાર્ટરના નરેન્દ્રસિંહ જાડેજાને જીલ્લા સરકારી વકીલની કચેરી એટેચમાં, કાલાવડના હેતલ બેડવાને જામજોધપુર, ધ્રોલના શિવભદ્રસિંહ જાડેજાને સીટી-સીમાં મુકાયા છે.
તેમજ કાલાવડના ફીરોજ ખફીને પંચ-એમાં, મીરાબેન રાઠોડને સીટી-એમાં, કાજલ સોનગરાને સીટી-બીમાં, સોનલબેન નાગેશને હેડ કવાર્ટર ખાતે, રીના ગોજીયાને પંચ-એમાં શેઠવડાળાના જીતેન્દ્ર માણાવદરીયાને જામજોધપુર, જામજોધપુરના માનસંગ ઝાપડીયાને સીટી-એમાં તથા જામજોધપુરના પ્રજ્ઞરાજસિંહ જાડેજાને હેડકવાર્ટર, કાલાવડના હિતેશ ભેસદડીયાને એમટી વિભાગ, પૃથ્વીરાજસિંહ જાડેજાને હેડ કવાર્ટર, શેઠવડાળાના બાદલ ચોટલીયાને હેડ કવાર્ટર તથા ખુશ્બુબેન કણઝારીયાને એર સિકયુરીટી ખાતે બદલી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application