આનંદો: વ્યાજદર નહીં વધે, રેપોરેટ યથાવત

  • December 08, 2023 01:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રીઝર્વ બેન્કે વ્યાજદર નહીં વધારવાનો નિર્ણય લેતા લોન મોંઘી નહીં થાય અને ઇએમઆઈ પણ નહીં વધે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીએ શુક્રવારે સતત પાંચમી વખત રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખ્યો હતો. તેની દ્વિ-વાર્ષિક નીતિની જાહેરાતમાં,  ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યો હતો.

આરબીઆઈએ મે 2022થી વ્યાજ દરમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ અચાનક 0.40 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારથી, ફેબ્રુઆરી 2023 સુધી સતત વધારો જોવા મળ્યો હતો. જેના કારણે આ સમયગાળા દરમિયાન રેપો રેટમાં 2.50 ટકાનો વધારો થયો અને રેપો રેટ 6.50 ટકા થયો. ગવર્નર દાસે નાણાકીય વર્ષ 2023-24 માટે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટનું અનુમાન અગાઉ 6.5 ટકાથી વધારીને 7 ટકા કર્યું છે. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર માટે, અંદાજ 6 ટકાથી વધારીને 6.5 ટકા કરવામાં આવ્યો છે. ચોથા ક્વાર્ટર માટે,  અનુમાન અગાઉ 5.7 ટકાથી વધારીને 6 ટકા કરવામાં આવ્યું છે. ફુગાવા પર, નાણાકીય નીતિ સમિતિએ અનુમાન યથાવત રાખ્યું હતું. નાણાકીય વર્ષ 24 માં, ભારતનો છૂટક ફુગાવો અનુમાન 5.4 ટકા રાખવામાં આવ્યો છે. આગામી વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં ફુગાવાનું અનુમાન 5.6 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 5.2 ટકા રાખવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application