લાભાર્થીઓએ બીજા તબક્કાની સહાય મેળવવા માટે આગામી તા.15 ઓક્ટોબર સુધીમાં અરજી કરવાની રહેશે
રાજ્યની પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી તમામ ગૌશાળા-પાંજરાપોળ માટે નાણાંકીય વર્ષ 2023-24 માટે ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ અત્યારે અમલમાં મુકવામાં આવી છે. પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા-પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયની યોજનાની લિંક અત્યારે આઈ-ખેડૂત પોર્ટલ પર મુકવામાં આવી છે.
આ યોજનાના ઠરાવ, શરતો અને બોલીઓની સંપૂર્ણ વિગતો http://gauseva.gujarat.gov.in વેબસાઈટ પર ઉપલબ્ધ છે. જુલાઈ-2023થી સપ્ટેમ્બર-2023ના તબક્કાની સહાય મેળવવા માટે આગામી તા.15 ઓક્ટોબર સુધીમાં જામનગર જિલ્લાના રજીસ્ટર્ડ લાભાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકશે. જે તબક્કા માટે આઈ-ખેડૂત ઓનલાઈન પોર્ટલ પર અરજી ન કરેલી હોય, તો જે-તે લાભાર્થી સંસ્થાને તે તબક્કાની સહાય મળવવાપાત્ર રહેશે નહીં.
ઓનલાઈન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ નકલ સાથે જરૂરી સાધનિક કાગળો જોડીને અરજી કર્યાના 21 દિવસ સુધીમાં નાયબ પશુપાલન નિયામકશ્રીની કચેરી, જિલ્લા પંચાયત ભવન, જામનગર ખાતે જમા કરાવવાની રહેશે. સુનિશ્ચિત સમય મર્યાદા બાદ અત્રેની કચેરીને પ્રાપ્ત થયેલા અરજી પત્રકો રદ કરવામાં આવશે. આ તમામ બાબતોની લાભાર્થીઓને ખાસ નોંધ લેવા માટે નાયબ પશુપાલન નિયામકશ્રી ડો.તેજસ શુક્લ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMજુનાગઢ : પ્રાચીન જગન્નાથજી મંદિરે અષાઢી બીજની ભવ્ય ઉજવણી પ્રભુજીને કરાયા દિવ્ય શણગાર
July 07, 2024 03:44 PMઝિમ્બાબ્વે સામે હાર બાદ એમએસ ધોનીના ક્લબમાં શુભમન ગિલની થઈ એન્ટ્રી
July 07, 2024 12:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech