અખિલ ભારતીય દંડી સન્યાસી પરિષદના પ્રમુખ સ્વામી બ્રહ્મશ્રમએ જણાવ્યું હતું કે, કોઈ પણ દોષિત ગુનેગારનું જેલની અંદર જવું અને તેને અખાડાના સતં જાહેર કરવા એ સતં સમુદાય માટે નુકસાનકારક છે. સ્વામી બ્રહ્માશ્રમે સોમવારે કહ્યું કે, તેમણે પણ આવી વાતો સાંભળી છે. જો આ વાત સાચી હોય તો તે સતં સમાજ માટે ખૂબ જ નિંદનીય છે. સંતો અને સંસ્કારી સમાજ માટે આ હિતકારી નથી. દીક્ષા લેનાર વ્યકિતને સંતોની લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. વ્યકિતના આચરણ અને ચારિયની સંપૂર્ણ તપાસ કર્યા પછી અને તેનામાં સંતત્વની લાગણી હોય તો જ દીક્ષા આપવી તે હંમેશા અયોગ્ય છે.
અખાડાના પરિષદના મહામંત્રી અને શ્રી પંચદશનામ જૂના અખાડાના સંરક્ષક સ્વામી હરિ ગીરીને આ બાબતે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે,આ મમલે તપાસ કરવા માટે સાત સભ્યોની એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ સત્યતાની તપાસ કરશે.
નોંધનિય છે કે, અલ્મોડા જિલ્લા જેલમાં કારાવાસની સજા ભોગવી રહેલા એક કુખ્યાત આરોપી (અંડરવલ્ર્ડ ડોન) પ્રકાશ પાંડે ઉર્ફ પીપીને તાજેત્તરમાં જેલ પરિસરમાં જુન અખાડાના સતં બતાવી દીક્ષા આપવામાં આવી. દીક્ષા બાદ તેમનું નામ બદલીને પ્રકાશાનદં ગિરી કરવામાં આવ્યું. આ વાત જેલની બહાર ફેલાયા બાદ સતં સમાજમાં તેમની ટિકા થઈ રહી છે.
પ્રકાશ પાંડેની ગુનાહિત કહાની
પ્રકાશ પાંડે ઉત્તરાખંડના રાનીખેતમાં સ્થિત મૂળ ખનૌઈયા ગામનો નિવાસી છે. તેનો ૧૯૯૦ના દાયકામાં કુમાઉ મંડળમાં અપરાધના મામલામાં દબદબો હતો. તેનું નામ નૈનાતાલ, અલ્મોડા, હલ્દવાની અને રાનીખેતમાં ગેરકાયદેસર દાની તસ્કરીમાં આવ્યું હતું. નેવુંના દાયકામાં તે મુંબઈ પહોંચ્યો. ત્યાં તેને છોટા રાજનના ગેંગસ્ટરમાં સામલે થઈ મુંબઈમાં કેટલીક ઘટનાઓને અંજામ આપ્યો. તે ભાગીને વિયેતનામ પહોંચ્યો અને ૨૦૧૦માં ત્યાંથી પકડાયો અને ત્યારથી અલગ–અલગ જેલમાં બધં છે
પ્રકાશ પાંડે ઉત્તરાખંડના રાનીખેતમાં સ્થિત મૂળ ખનૌઈયા ગામનો નિવાસી છે. તેનો ૧૯૯૦ના દાયકામાં કુમાઉ મંડળમાં અપરાધના મામલામાં દબદબો હતો. તેનું નામ નૈનાતાલ, અલ્મોડા, હલ્દવાની અને રાનીખેતમાં ગેરકાયદેસર દાની તસ્કરીમાં આવ્યું હતું. નેવુંના દાયકામાં તે મુંબઈ પહોંચ્યો. ત્યાં તેને છોટા રાજનના ગેંગસ્ટરમાં સામલે થઈ મુંબઈમાં કેટલીક ઘટનાઓને અંજામ આપ્યો. તે ભાગીને વિયેતનામ પહોંચ્યો અને ૨૦૧૦માં ત્યાંથી પકડાયો અને ત્યારથી અલગ–અલગ જેલમાં બધં છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના બાપોદર, ઠોયાણા, ભોદ, મોકર ગામના માર્ગો પેચવર્ક કરી કરાયા સમથળ
September 17, 2024 01:39 PMપોરબંદરમાં બે ઈસમો પાસેથી ૧૫ બોટલ દારૂ મળતા સપ્લાયર તરીકે એક જ બુટલેગરનું નામ ખુલ્યું
September 17, 2024 01:34 PMગાંધીભૂમિને સ્વચ્છ બનાવવા માટે થશે સામૂહિક પ્રયત્નો
September 17, 2024 01:32 PMરાણાવાવનો યુવાન નવરાત્રીમાં લંડનવાસીઓને ઢોલના તાલે ડોલાવશે
September 17, 2024 01:31 PMમાત્ર સાડા ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી... આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા
September 17, 2024 01:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech