બગસરા મામલતદાર ઓફિસમાં રિસેશ સમયમાં વીજ ઉપકરણોનો બેફામ ઉપયોગ

  • September 11, 2024 10:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બગસરા મામલદાર ઓફીસમાં બપોરના રિસેશ સમયમાં પણ લાઈટો પંખા અને એસી ચાલુ રાખવામાં આવે છે યારે આ ઓફિસના અધિકારીઓ પોતાના સતાના જોરે જાણે કોઈ તેમને પૂછવા વાળું જ ના હોય તેવી રીતે બપોરના બે વાગે રિસેશ પાડવામાં આવે છે. જે ફરી એક કલાક બાદ અધિકારીઓ ઓફિસે પરત ફરતા હોય છે તે દરમિયાન એક કલાક લાઈટો પંખા તેમજ એસી પણ ચાલુ રાખીને જ તમામ અધિકારીઓ બ્રેકમાં જતા રહે છે. ત્યારે એક તરફ સરકાર દ્રારા સોલાર પેનલો લગાવો અને વીજળી બચાવો અને લોકોને પ્રદૂષણ મુકત રાખવાની મસ મોટી વાતો કરે છે ત્યારે અહીંના અધિકારીઓ તો જાણે પોતાની મનમાની કરી સરકારના આવા વીજળી બચાવવાના હેતુનો ઉલાળીયો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. યારે આવી રીતે બેફામ વીજળીનો ઉપિયોગ કરવાથી પ્રજાના ટેકસના પિયાનું આંધણ કરી રહ્યા છે તો આવા અધિકારીઓને જાણે કોઇ કહેવા વાળું જ ના હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્રારા સરપ્રાઇઝ વિઝિટ લઇ જવાબદારો સામે કાર્યવાહી કરે તેવી આમ જનતામાં માગ ઉઠી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application