કેનેડા વિવાદ વચ્ચે ભારતનો પાડોશી દેશ આવ્યો સમર્થનમાં કહ્યું, "અમને ભારત પર પૂરો વિશ્વાસ"

  • September 24, 2023 05:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેનેડા સાથે ભારતના વિવાદ બાદ બાંગ્લાદેશ ભારતના સમર્થનમાં આવ્યું છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમેને કહ્યું કે તેમને ભારત પર ગર્વ છે અને ભારત ક્યારેય આવું કામ ના કરી શકે તેનો અમને વિશ્વાસ છે.


મીડિયા સાથેની વાતચીતમાં તેમણે ભારત પર કેનેડાના આરોપો પર કહ્યું, "આ ખૂબ જ દુઃખદ છે. અમને તેના વિશે વધુ ખબર નથી જેથી હું આ બાબતે ટિપ્પણી કરી શકું, પરંતુ અમને ભારત પર ગર્વ છે, તેઓ આવું ક્યારેય ના કરી શકે. અમારા ભારત સાથે ખૂબ જ મજબૂત સંબંધો છે જે મૂલ્યો અને સિદ્ધાંતો પર આધારિત છે. આ એક દુઃખદ સમય છે અને હું આશા રાખું છું કે તે સૌહાર્દપૂર્ણ રીતે સમાપ્ત થાય."


લિબરલ પાર્ટીના નેતા અને સાંસદ ચંદ્ર આર્યએ પણ ટ્રુડોની ટીકા કરી હતી. ચંદ્ર આર્યએ એક વીડિયો દ્વારા કહ્યું કે, કેનેડામાં શીખોનો મોટો વર્ગ ખાલિસ્તાન ચળવળને સમર્થન નથી આપતો. મોટાભાગના કેનેડિયન શીખો વિવિધ કારણોસર ખાલિસ્તાન ચળવળની જાહેરમાં ટીકા કરી શકતા નથી, પરંતુ તેઓ પારિવારિક સંબંધો અને વહેંચાયેલા સામાજિક અને સાંસ્કૃતિક સંબંધો દ્વારા કેનેડિયન હિન્દુ સમુદાય સાથે સુધી જોડાયેલા છે.


પેન્ટાગોન (યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટનું હેડક્વાર્ટર)ના ભૂતપૂર્વ અધિકારી માઈકલ રુબિને કેનેડાને પૂછ્યું કે કેનેડા એવા વ્યક્તિને કેમ સમર્થન આપી રહ્યું છે કે જેના હાથ લોહીથી રંગાયેલા છે (ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર). માઈકલ રુબિને કહ્યું કે જો અમેરિકાને કેનેડા અને ભારત વચ્ચે પસંદગી કરવી હશે તો અમેરિકા ચોક્કસપણે બીજા (ભારત)ને પસંદ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application