મુંબઈની પ્રખ્યાત ખાર જિમખાના ક્લબે ટીમ ઈન્ડિયાની સ્ટાર મહિલા ક્રિકેટર જેમિમાહ રોડ્રિગ્સના પિતા ઈવાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. શહેરની સૌથી જૂની ક્લબમાંની એક ખાર જિમખાનાએ દાવો કર્યો છે કે ભારતીય ક્રિકેટરના પિતા ત્યાંની જગ્યાનો ઉપયોગ ધાર્મિક પ્રવૃત્તિઓ કરવા માટે કરતા હતા. તે ત્યાં લોકોને ધર્માંતરિત કરવાનું કામ કરતો હતો. ક્લબે આ બાબતની નોંધ લીધી અને જેમિમાહ સામે કાર્યવાહી કરી અને તાત્કાલિક અસરથી તેનું સભ્યપદ રદ કર્યું. હાલમાં આ મામલે જેમિમા તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.
આ બાબતે ક્લબે શું કહ્યું?
ખાર જિમખાના ક્લબે તેની વાર્ષિક બેઠકમાં જેમિમાનું સભ્યપદ રદ કરવાનો નિર્ણય લીધો હતો. ક્લબના પ્રમુખ વિવેક દેવનાનીએ પણ ભારતીય ક્રિકેટર વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીની પુષ્ટિ કરી છે. અહેવાલ મુજબ તેમને 3 વર્ષ માટે માનદ સભ્યપદ આપવામાં આવ્યું હતું. બેઠકમાં સર્વસંમતિ મળ્યા બાદ ઠરાવ પસાર કરીને આ કાર્યવાહી કરવામાં આવી હતી. ક્લબની મેનેજિંગ કમિટીના સભ્ય શિવ મલ્હોત્રાએ આ મામલે ખુલાસો કર્યો હતો કે જેમિમાહના પિતા ઇવાન બ્રધર મેન્યુઅલ મિનિસ્ટ્રીઝ નામની સંસ્થા સાથે જોડાયેલા હતા.
જેમિમાહના પિતાએ લગભગ દોઢ વર્ષથી પ્રેસિડેન્સી હોલ બુક કરાવ્યો હતો. આ સમયગાળા દરમિયાન તેમણે 35 કાર્યક્રમોનું આયોજન કર્યું અને ધર્મ પરિવર્તન સહિત અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ કરી. તેમણે વધુમાં કહ્યું કે 'દેશભરમાં ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે તેના વિષે સાંભળતા હતા પરંતુ આ કામ અમારા નાક નીચે જ થઈ રહ્યું હતું. શિવ મલ્હોત્રાએ એ પણ ખુલાસો કર્યો કે જીમખાનાના નિયમો મુજબ ક્લબમાં કોઈ ધાર્મિક પ્રવૃત્તિઓની મંજૂરી નથી.
સ્ટાફ મેમ્બર પાસેથી મળેલી માહિતી
જીમખાનાના ભૂતપૂર્વ પ્રમુખ નીતિન ગડેકરએ જણાવ્યું હતું કે તેમને ક્લબમાં ચાલતી ધાર્મિક પ્રવૃત્તિઓ વિશે ત્યાંના સ્ટાફ મેમ્બર દ્વારા માહિતી મળી હતી. આ પછી ક્લબના કેટલાક લોકો પ્રેસિડેન્શિયલ હોલમાં તપાસ કરવા ગયા હતા. ત્યાં જઈને તેમણે જોયું કે રૂમમાં અંધારું હતું અને ટ્રાન્સ મ્યુઝિક વાગી રહ્યું હતું. એક મહિલા કહી રહી હતી, 'તે અમને બચાવવા આવી રહી છે.' આ બધું જોઈને બધા સભ્યો આશ્ચર્યચકિત થઈ ગયા. પછી બધાએ તેનો વિરોધ કર્યો અને સભ્યપદ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશનિ મીન રાશિમાં ગોચર કરશે, આ રાશિના લોકોને સોનાનો સૂરજ ઊગશે, સૌથી વધુ ફાયદો થશે
March 29, 2025 01:39 PMજામનગરમાં રાજપૂત કરણી સેનાએ સાંસદની વિવાદિત ટિપ્પણીનો કર્યો વિરોધ
March 29, 2025 01:28 PMજામનગર: આજે શનિ અમાવસ્યા...શનિ મંદિરે ભક્તોની ભારે ભીડ
March 29, 2025 01:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech