ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો લીધો નિર્ણય, વિરાટ-રોહિત પાસે પ્રથમ વખત વર્લ્ડ કપ જીતવાની તક

  • June 29, 2024 08:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાએ કોઈપણ ફેરફાર કર્યા વિના ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. દક્ષિણ આફ્રિકાના સુકાની એડન માર્કરામે પણ પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.


વિરાટ-રોહિત પાસે પ્રથમ વખત વર્લ્ડ કપ જીતવાની તક
રોહિત શર્મા અને વિરાટ કોહલી અત્યાર સુધી 50 અને 20 ઓવરના 6 વર્લ્ડ કપ રમી ચૂક્યા છે. T20 વર્લ્ડ કપ 2024 આ જોડીનો સાતમો વર્લ્ડ કપ છે. 2007માં જ્યારે ભારતે પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીત્યો ત્યારે રોહિત ટીમનો ભાગ હતો. તે સમયે વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું ન હતું. 2011માં જ્યારે ભારતે 50 ઓવરનો ખિતાબ જીત્યો ત્યારે રોહિત ભારતીય ટીમની બહાર હતો. આ રીતે આ જોડી અત્યાર સુધી એકસાથે વર્લ્ડ કપ જીતી શકી નથી.



ટાઇટલ મેચ માટે રિઝર્વ ડે રાખાયો
ICC એ 2024 T20 વર્લ્ડ કપની ફાઈનલ માટે રિઝર્વ ડે રાખ્યો છે. આવી સ્થિતિમાં જો વરસાદને કારણે ટાઈટલ મેચમાં વિક્ષેપ પડે છે અને મેચ આજે રમાઈ શકતી નથી તો ફાઈનલ મેચ પણ 30 જૂને ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી રમાઈ શકે છે. જોકે, હાલમાં બાર્બાડોસમાં હવામાન સાફ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application