વિશ્વને બહેતર બનાવવામાં ભારત અને UAE કરી રહ્યા છે મહેનત, PM મોદીએ ગલ્ફ કન્ટ્રીનો પ્રવાસ પૂર્ણ કરી લખ્યો સુંદર સંદેશ

  • July 15, 2023 08:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

PM નરેન્દ્ર મોદી અને UAE ના રાષ્ટ્રપતિ UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા પણ થઈ. આ સિવાય બંને દેશો વચ્ચે ઘણા કરારો પણ થયા હતા. વિદેશ મંત્રાલયે બંને નેતાઓ વચ્ચેની બેઠકની માહિતી શેર કરી છે. બંને દેશો વચ્ચે શિક્ષણ ક્ષેત્રને લઈને મહત્વના કરાર પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.


PM મોદી ફ્રાન્સના બે દિવસના પ્રવાસ બાદ શનિવારે સંયુક્ત આરબ અમીરાત (UAE) પહોંચ્યા હતા. અબુ ધાબી એરપોર્ટ પર ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી પીએમ મોદી અને UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ. આ ઉપરાંત બંને દેશો વચ્ચે અનેક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.


પીએમ મોદીએ ટ્વિટ કરીને બંને નેતાઓ વચ્ચેની મુલાકાત અંગે જાણકારી આપી હતી. PM મોદીએ લખ્યું, "બંને દેશો વિશ્વને બહેતર બનાવવા માટે ઘણા ક્ષેત્રોમાં સખત મહેનત કરી રહ્યા છે. UAEમાં મારા ઉષ્માભર્યા સ્વાગત માટે હું મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનો આભાર માનું છું."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application