ભારત અને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમો અમદાવાદમાં આવી પહોંચી છે. રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, વિરાટ કોહલી, જોસ બટલર અને જો રૂટ જેવા સ્ટાર ખેલાડીઓ હોટલમાં પહોંચી ગયા છે. બંને ટીમો વચ્ચે આગામી 12 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વન-ડે મેચ રમાશે.
ટિકિટનું વેચાણ શરૂ
અમદાવાદના ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચની ટિકિટોનું વેચાણ આજથી એટલે કે 9 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગયું છે અને 11 ફેબ્રુઆરી સુધી ચાલશે. દર્શકો ઓફલાઈન ટિકિટ સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં ખરીદી શકશે. જોકે, 1000 રૂપિયાથી વધુની કિંમતની ટિકિટોનું વેચાણ ઓફલાઈન કરવામાં આવશે. ટિકિટ ખરીદવા માટે દર્શકોએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ નંબર 1 પર જવાનું રહેશે.
ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદના દર્શકો આ મહામુકાબલાને જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ઓફલાઈન ટિકિટનું આયોજન
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 12 ફેબ્રુઆરીએ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી વન-ડે મેચનો લાભ દર્શકો સરળતાથી લઈ શકે તે માટે ઓફલાઈન ટિકિટ વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં 1 હજારથી વધુની કિંમતની ટિકિટનું વેચાણ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર:રણજીતનગર માંથી ઝડપાયું ટેમ્પો ટ્રાવેલર ચાલતું કુટણખાનું
April 02, 2025 05:45 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સી.સી.ટી.વી.કેમેરા અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
April 02, 2025 05:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech