જાપાની બ્રોકરેજ ફર્મ નોમુરાએ શુક્રવારે ચાલુ નાણાકીય વર્ષ (2024-25)માં ભારતના જીડીપીનો અંદાજ મૂક્યો છે. નોમુરા ખાતે અર્થશાસ્ત્રીઓની ટીમે કહ્યું છે કે નાણાકીય વર્ષ 2025માં ભારતનો જીડીપી ઘટીને 6 ટકા થઈ જશે, જ્યારે અગાઉ નાણાકીય વર્ષ 2023-24માં દેશનો જીડીપી 8.2 ટકાના દરે વધ્યો હતો. નાણાકીય વર્ષ 26માં તે 5.9 ટકા પર સ્થિર રહેવાનો અંદાજ છે. અગાઉ, એજન્સીએ ચાલુ નાણાકીય વર્ષ માટે 6.7 ટકા અને નાણાકીય વર્ષ 26 માટે 6.8 ટકા વૃદ્ધિ દરનો અંદાજ મૂક્યો હતો.
એજન્સીએ ગયા સપ્ટેમ્બરમાં ભારતમાં જીડીપીમાં ઘટાડાના જોખમો વિશે વાત કરી હતી. એજન્સીએ મોંઘવારી અંગે રાહત આપી છે અને આશા વ્યક્ત કરી છે કે તેમાં વધુ વધારો નહીં થાય. નોમુરાની ટીમનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2025માં ફુગાવાનો દર ઘટીને 4.9 ટકા થઈ જશે, જે નાણાકીય વર્ષ 2024માં 5.4 ટકા હતો અને તે નાણાકીય વર્ષ 2026માં વધુ ઘટીને 4.3 થઈ જશે. ટીમમાં સામેલ અર્થશાસ્ત્રીનું કહેવું છે કે વિશ્વવ્યાપી મંદી વચ્ચે દેશના બજારોમાં માલસામાનની કિંમતો સ્થિર રહેશે.
તેનાથી વિપરીત, આરબીઆઈ ગવર્નરે નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે જીડીપી વૃદ્ધિ દર 7.2 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. એજન્સીએ આને વધુ ’આશાવાદી’ ગણાવ્યું છે.
નોમુરાએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે આ સમયગાળા દરમિયાન ખાદ્ય પદાર્થોની ખરીદી પર અસર પડી શકે છે. ઉદાહરણ તરીકે, પામ ઓઈલ જેવી કેટલીક ચીજોના ભાવમાં વધારો થવાને કારણે લોકો તેને ખરીદવાનું ટાળશે અને આવી સ્થિતિમાં ગ્રાહકોની ખરીદશક્તિમાં સુધારો થવાનો કોઈ અવકાશ જણાતો નથી. જો કે સારા વરસાદ, પાકના સારા ભાવ અને વ્યાજદરમાં ઘટાડાથી ગ્રામીણ વિસ્તારોમાં માલની માંગ વધી શકે છે. અર્થશાસ્ત્રીઓ માને છે કે આનાથી ધીમી જીડીપીને પ્રોત્સાહન મળી શકે છે. હવે આવનારા સમયમાં દેશના જીડીપી ગ્રોથ અંગે કોની આગાહી સાચી પડે છે તે જોવું રસપ્રદ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ભારત પાક યુદ્ધ સંબંધી આપત્તિ જનક પોસ્ટ કરનાર કારખાનેદાર સામે નોંધાતો અપરાધ
May 09, 2025 01:17 PMહોશિયારપુરના પહાડી વિસ્તારમાં મિસાઈલ મળી, પોલીસ ઘટના સ્થળ પર પહોંચી
May 09, 2025 01:13 PMઇન્ડિયન નેવીએ કરાચી બંદરને ફૂંકી માર્યું, INS વિક્રાંતની જુઓ ધણધણાટી
May 09, 2025 01:09 PMઈન્ડિયન આર્મીએ પિનાકા રોકેટ સિ-સ્ટમનો ઉપયોગ કરીને પાકિસ્તાન પર મોટા પાયે હુમલો કર્યો
May 09, 2025 01:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech