ફ્રાંસના રાષ્ટ્ર્રપતિ મેક્રોનની ભારત મુલાકાત ઐતિહાસિક બનવા જઈ રહી છે. મેક્રોન અને પીએમ મોદી જયપુરમાં દ્રિપક્ષીય મંત્રણા કરશે. આ સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત અને ફ્રાન્સ સૈન્ય ઔધોગિક ભાગીદારી કરવા જઈ રહ્યા છે. આમાં ભારતમાં સૈન્ય ઉત્પાદનને મજબૂત બનાવવામાં આવશે.
વડાપ્રધાન મોદી આવતીકાલે એટલે કે ૨૫મી જાન્યુઆરીએ જયપુર જશે. આ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્ર્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનું પણ જયપુરમાં આગમન થશે. ગુવારે બપોરે ૩:૧૫ થી ૫:૧૫ દરમિયાન ઈમેન્યુઅલ મેક્રોન, આમેર કિલ્લાની મુલાકાત લેશે. આ પછી રાષ્ટ્ર્રપતિ મેક્રોન વડાપ્રધાન મોદીને મળશે. જયપુરના જંતર–મંતર પર રાષ્ટ્ર્રપતિ મેક્રોન અને પીએમ મોદી વચ્ચે મુલાકાત થશે.
ફ્રાન્સના રાષ્ટ્ર્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન આ વર્ષે ગણતત્રં દિવસ પર મુખ્ય અતિથિ તરીકે ભારત આવી રહ્યા છે. તેઓ આવતીકાલ ૨૫મી જાન્યુઆરીએ જયપુર જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમની સાથે જયપુરમાં હશે. આ દરમિયાન પીએમ મોદી મેક્રોન સાથે રોડ શો કરશે. આ રોડ શો જયપુરના ત્રિપોલિયા ગેટથી સાંગાનેરી ગેટ સુધી થશે. રાજસ્થાનના જયપુરમાં પ્રશાસને રાષ્ટ્ર્રપતિ મેક્રોન અને પીએમ મોદીની મુલાકાતની તૈયારીઓ શ કરી દીધી છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ સતત બેઠકો કરી રહ્યા છે. જયપુરની મુલાકાત દરમિયાન મેક્રોન ઘણા પ્રવાસન સ્થળોની પણ મુલાકાત લેશે.
સિટી પેલેસ રાજસ્થાનની ડેપ્યુટી સીએમ દિયા કુમારીનું ઘર છે. તેમાં એક રાજવી મ્યુઝિયમ પણ છે. જયપુર અને આમેરના ભવ્ય ઈતિહાસના ચિ઼ો અહીં રાખવામાં આવ્યા છે. જયપુર બાદ રાષ્ટ્ર્રપતિ મેક્રોન દિલ્હી પહોંચશે. અહીં તેઓ ૨૬ જાન્યુઆરીએ ૭૫માં ગણતત્રં દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે.
રાષ્ટ્ર્રપતિ મેક્રોનની ભારત મુલાકાત ઐતિહાસિક
ફ્રાંસના રાષ્ટ્ર્રપતિ મેક્રોનની ભારત મુલાકાત ઐતિહાસિક બનવા જઈ રહી છે. મેક્રોન અને પીએમ મોદી જયપુરમાં દ્રિપક્ષીય મંત્રણા કરશે. આ સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત અને ફ્રાન્સ સૈન્ય ઔધોગિક ભાગીદારી કરવા જઈ રહ્યા છે. આમાં ભારતમાં સૈન્ય ઉત્પાદનને મજબૂત બનાવવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech