Independence Day 2024:  પહેલા સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રગીત કેમ ગાવામાં આવ્યું ન હતું?  જાણો શું છે કારણ

  • August 14, 2024 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

15મી ઓગસ્ટના રોજ દેશભરમાં સ્વતંત્રતાની ઉજવણી કરવામાં આવશે. આ વખતે દેશ 78મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. આપણા દેશને 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળી હતી, ત્યારબાદ દર વર્ષે દિલ્હીના લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવીને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશના વડાપ્રધાન લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવે તે પછી રાષ્ટ્રગીત ગાવામાં આવે છે. જો કે પ્રથમ સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રગીત નહોતું ગાવામાં આવ્યું. પહેલીવાર જ્યારે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે દેશમાં રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું ન હતું. જાણો શું તેનું કારણ અને ઈતિહાસ.


પ્રથમ સ્વતંત્રતા દિવસની ઉજવણી વખતે રાષ્ટ્રગીત કેમ ગાવામાં આવ્યું ન હતું?


રવીન્દ્રનાથ ટાગોરે 1911માં જ દેશનું રાષ્ટ્રગાન 'જન ગણ મન' લખ્યું હતું. પરંતુ તેને 1950માં રાષ્ટ્રગીત તરીકે માન્યતા આપવામાં આવી હતી. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલ 'જન ગણ મન'  લોકપ્રિય જ નહોતું બન્યું પરંતુ આ સિવાય અન્ય બે ગીતોને પણ ઘણી લોકપ્રિયતા મળી હતી. જે છે આપણું રાષ્ટ્રીય ગીત એટલે કે ‘વંદે માતરમ’ અને ‘સારે જહાં સે અચ્છા’.


આ એવા ગીતો હતા જેણે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન લોકોમાં નવો પ્રાણ પૂર્યો હતો.  જેની અસર 1947માં આખી દુનિયાને દેખાઈ હતી.


દેશને રાષ્ટ્રગાન કેવી રીતે મળ્યું?


જ્યારે દેશને આઝાદી મળી ત્યારે કોઈ રાષ્ટ્રગાન નહોતું, તેથી પ્રથમ સ્વતંત્રતા દિવસ દરમિયાન રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું ન હતું. તે સમયે રાષ્ટ્રગાન માટે 'જન ગણ મન' અને 'વંદે માતરમ' વચ્ચે મતદાન થયું હતું. ઘણા વિવાદો છતાં 'વંદે માતરમ'ને તે સમયે સૌથી વધુ મત મળ્યા હતા. જો કે વિવિધતામાં એકતા  ધરાવતા રાષ્ટ્ર માટે રાષ્ટ્રગાનની જરૂર હતી જે સમગ્ર દેશનું પ્રતીક બની શકે અને તે પણ જેના વિશે કોઈના મનમાં શંકા ન હોવી જોઈએ. આ જ કારણ હતું કે સૌથી વધુ વોટ મળવા છતાં 'વંદે માતરમ'ને રાષ્ટ્રગાન બનાવવામાં ન આવ્યું.


આ કારણે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે તેનું પોતાનું કોઈ રાષ્ટ્રગાન નહોતું. 1950માં જ્યારે બંધારણ બનાવવામાં આવ્યું ત્યારે 'જન ગણ મન'ને રાષ્ટ્રગાન તરીકે માન્યતા આપવામાં આવી હતી. જો કે તે સમયે 'વંદે માતરમ'ની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને, તેના પ્રથમ બે પદોને રાષ્ટ્રગીત તરીકે માન્યતા આપવામાં આવી હતી.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application