તાજેતરમાં અમદાવાદ ખાતે પડેલા ઇન્કમટેક્સના દરોડામાં આવકવેરા અધિકારીઓ એ દાદાગીરી ભર્યું વર્તન કયર્િ સાથેની રીટ પિટિશન હાઇકોર્ટમાં ફાઇલ કરી હતી. આ પ્રકરણમાં હાઇકોર્ટે આવકવેરા અધિકારીઓનો ઉધડો લઈને જાહેરમાં માફી માગવા અથવા તો સજા માટે તૈયાર રહેજો, આ કેસમાં આગામી સુનાવણી 18મી ડિસેમ્બરે કરાશે.
ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ મૌલિક કુમાર શેઠ દ્વારા અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી જજ ભાર્ગવ કારીયા અને નીરવ મહેતાની બેન્ચ સમક્ષ રજૂ થઈ હતી. આ અરજી આવક વેરા વિભાગ સામે કરવામાં આવી હતી. આ કેસમાં વકીલને ત્યાં આવકવેરા વિભાગની ટીમે રેડ પાડી હતી અને તેના અસીલ દ્વારા કરાયેલ એમ ઓ યુ ના દસ્તાવેજ માંગ્યા હતા. આ માટે 04 દિવસ સુધી વકીલને ક્યાંય જવા દેવાયા નહોતા તેમજ તેમના અસીલોનો ડેટા પણ લઈ લેવાયો હતો. અરજદાર તરફે દિલ્હીથી એડવોકેટ મુકુલ રોહતગી પણ જોડાયા હતા. આવકવેરા વિભાગે કહ્યું હતું કે તેમને મળેલ માહિતીના આધારે તેમને કામગીરી કરી હતી. આ સર્ચ ઓપરેશન ફક્ત એક વ્યક્તિ સામે નહીં પરંતુ અલગ અલગ લોકો સામે હતું. કોર્ટે આવકવેરા વિભાગ વતી દલીલ કરતા વકીલને કહ્યું હતું કે ,આવકવેરા વિભાગ કોઈકના કબ્જાના કાગળીયા કેવી રીતે લઈ શકે ? શું આવકવેરા વિભાગ પોલીસ છે ? વકીલ પાસે તેના અસીલના ખાનગી દસ્તાવેજ હોય છે તે આવકવેરા વિભાગ કેવી રીતે લઈ જઈ શકે ? આવકવેરા વિભાગે સત્તાનો દુરુપયોગ કર્યો છે. આપણે 1975-76 ના કટોકટીના સમયગાળામાં નથી રહેતા,તમે અરજદારને કોઈ નોટિસ આપી નથી. તે કેવી રીતે તમને બીજાના કાગળીયા આપે ? બજારમાંથી બાતમી મળે એટલે આવી રીતે તપાસ કરવાની ? કઈ સત્તા હેઠળ આવી રીતે તપાસ કરાઇ છે ? આનો જવાબ આપો, નહીં તો આવકવેરાના તે ઓફિસરોએ ઘરભેગા થવું પડશે! આવકવેરા વિભાગના અધિકારીઓ જાહેરમાં માફી માંગે અથવા સજા ભોગવવા તૈયાર રહે. કોર્ટે કહ્યું હતું કે આવકવેરા વિભાગની તપાસ સામે નહીં, પરંતુ જે રીતે તપાસ કરાઇ તેની સામે વાંધો છે. આવકવેરા વિભાગના અધિકારીઓ જાહેરમાં માફી માંગે અથવા સજા ભોગવવા તૈયાર રહે. કોર્ટે આવકવેરા વિભાગના રાકેશ રંજન, ધ્રુમિલ ભટ્ટ, નીરજકુમાર જોગી, વિવેક કુમાર, અમિત કુમાર, રણજીત ચૌધરી, તોરલ પંસુરિયા સામે નોટિસ કાઢી હતી. તેમજ આ કર્મચારીઓ પોતાના કેસ માટે જાતે વકીલ રોકશે તેમ જણાવ્યું હતું. આ મુદ્દે 18 ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં મોટી દુર્ઘટના, 6 માળની ઇમારત પડી, 7 લોકોના મોત
July 07, 2024 08:51 AMરોબોટે સીડી પરથી કૂદતા નીચે પટકાયો, તો દુનિયા શા માટે તેને ગણાવી રહી છે 'આત્મહત્યા' ?
July 06, 2024 11:52 PMનવા ફોજદારી કાયદા પર કોંગ્રેસના નેતા ચિદમ્બરમના નિવેદન પર લાલઘૂમ થયા ઉપરાષ્ટ્રપતિ ધનખર
July 06, 2024 11:45 PMસોનાક્ષી-લવના અણબનાવ પર શત્રુઘ્ન સિંહાએ તોડ્યું મૌન, કહ્યું- હું સહન નહિ કરુ...
July 06, 2024 11:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech