રાજકોટ જામનગર રોડ પર ઘંટેશ્વર નજીક કરોડો પિયાના ખર્ચે નિર્માણ પામેલા રાજકોટના નવા કોર્ટ બિલ્ડીંગનું લોકાર્પણ અગામી તારીખ ૬ ના રોજ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચુડના હસ્તે લોકાર્પણ થવાનું છે. આ સંદર્ભે આજે જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને સ્થાનિક કોર્ટના ન્યાયાધીશો અને જુદા જુદા વિભાગના અધિકારીઓની એક સંયુકત બેઠક મળી હતી. છેલ્લા ત્રણ વર્ષથી નિર્માણ પામી રહેલા નવા કોર્ટ બિલ્ડિંગનું કામ પૂં થઇ ગયા બાદ તેના લોકાર્પણની લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. .૧૧૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ નવા બિલ્ડિંગમાં એકસાથે ૫૨ કોર્ટ બેસશે જેથી વકીલોને હવે એક બિલ્ડિંગથી બીજા બિલ્ડિંગના ચક્કર કાપવામાંથી મુકિત મળી જશે.
નવા ડિસ્ટિ્રકટ કોર્ટના બિલ્ડિંગ માટે કાયદા વિભાગ દ્રારા ૨૦૧૯માં મંજૂર આપવામાં આવી હતી અને .૧૧૮ કરોડ ફાળવવામાં આવ્યા હતા. .૮૫ કરોડના ખર્ચે સિવિલ વર્ક અને .૨૫ કરોડના ખર્ચે ફર્નિચરનું કામ પૂં કરવામાં આવ્યું છે.
ઘંટેશ્વર ખાતે ૫૬૬૫૮ ચો.મી. બિલ્ડિંગમાં નિર્માણ પામેલા કોર્ટ બિલ્ડિંગમાં કુલ પાંચ માળ બનાવવામાં આવ્યા છે અને ૩૬૫૨૦ ચો.મી. બાંધકામ કરવામાં આવ્યું છે. જેમાં ગ્રાઉન્ડ લોર ઉપર ૬૧૯૦ ચો.મી., બાકીના ચાર માળ ઉપર ૫૯૭૦ ચો.મી. તથા ટેરેસ પર ૪૮૦ ચોરસ મીટર બાંધકામ કરવામાં આવ્યું છે. આ નવા બિલ્ડિંગમાં એકસાથે ૫૨ કોર્ટ બેસશે, તમામ જજીસ માટે ચેમ્બર ઉપરાંત પ્રથમ વખત સેપ્રેટ પાકિગ, લાઇબ્રેરી અને વીડિયો કેન્ફરન્સ હોલની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત સરકારી વકીલો માટે ચેમ્બરો, વકીલો માટે બાર મ, સ્ટાફ તથા અરજદારો માટે કેન્ટીન અને પાકિગ, લેડીઝ જેન્ટસ ટોઇલેટ, સેન્ટ્રલ રેકર્ડ મ, મુદ્દામાલ મ, વિકલાંગો માટે રેમ્પ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech