લાઠીના બે ગામોમાં તસ્કરોએ મકાનના તાળાં તોડી ચોરી કરી

  • February 28, 2023 07:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 લાઠી તાલુકાના બે ગામોને તસ્કરોએ ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપ્યો હતો.નાના રાજકોટ ગામે રહેણાંક મકાનમાંથી ૫૬ હજાર તેમજ નારાયણ નગરમાંથી ૧૭ હજારની ચોરીને અંજામ આપી ચોર નાસી છૂટ્યા હતા.લાઠી અને દામનગર પોલીસ મથક ખાતે ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ શરુ કરી હતી.


અમરેલી જિલ્લામાં છેલ્લા થોડા મહિનાઓમાંથી નાની-મોટી ચોરીના બનાવોમાં વધારો થયો છે.વધુ બે ઘટના લાઠી તાલુકામાં સામે આવી છે.બે અલગ-અલગ ઘટનાઓમાં ચોર ઈસમોએ મુદ્દામાલની ચોરી કરી છે.નાના રાજકોટ ગામે રમેશભાઈ ભગવાનભાઇ સોલંકી નામના મજૂરી કામ કરી ઘર ગુજરાન ચલાવતા વ્યક્તિના બંધ રહેણાંક મકાનના તાળા તોડી ઘરમાં  રાખેલ સોના ચાંદીના દાગીના જેની કિંમત રૂ.૪૪,૫૦૦ તથા રોકડ રકમ રૂ.૧૨ હજાર સહીત કુલ રૂ.૫૬.૫૦૦ ની ચોરી કરી અજાણ્યા ઈસમો નાસી છૂટ્યા હતા.આ અંગે લાઠી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરુ કરી છે.
તો અન્ય એક બનાવ નારણનગરના ગોદડિયા પરા  વિસ્તારમાં બની છે.અહીં  વિપુલભાઈ સરવૈયાના ઘરના મકાનના તાળા તોડી અને ઘરમાંથી સોના ચાંદીના દાગીના તથા તેમજ ટીવી સહીત રૂ.૧૭ હજારના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ચોરી ઈસમો નાસી છૂટયા હતા.ચોર શખ્સો  ચોરી કરી નાસી છૂટતા નાનકડા ગામમા ફફડાટ ફેલાયો હતો.આ અંગે દામનગર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ શરુ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application