સૌરાષ્ટ્રનાં આ આઠ જિલ્લામાં ગરમીનો પારો 38 ડિગ્રી નીચે, ઉકળાટ યથાવત

  • June 03, 2024 08:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં ચોમાસું નજીક આવી રહ્યું છે. ત્યારે ગુજરાતનાં કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેની અસર ગરમીમાં રાહત મળી છે. સૌરાષ્ટ્રનાં આઠ જિલ્લાના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આઠ જિલ્લમાં ગરમીનો પારો 38 ડિગ્રી નીચે જતો રહ્યો છે. પરંતુ ઉકાળટ યથાવત જોવા મળી રહ્યો છે.


આ જીલ્લામાં ગરમીનો પારો 38 ડિગ્રી નીચે રહ્યો

પોરબંદરમાં 35 ડિગ્રી,

વેરાવળમાં 35 ડિગ્રી,

કેશોદમાં 38 ડિગ્રી,

ભાવનગરમાં 37 ડિગ્રી,

દ્વારકામાં 36 ડિગ્રી,

ઓખામાં 37 ડિગ્રી,

મહુવામાં 37 ડિગ્રી,

દીવમાં 33 ડિગ્રી


રાજ્યમાં આગામી 10 જૂન સુધીમાં ચોમાસું આવી જવાની શક્યતા છે. ત્યારે સૌરાષ્ટ્રના આઠ જિલ્લામાં ગરમીમાં ઘટાડો થયો છે. સૌરાષ્ટ્રનાં રાજકોટ શહેરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી, અમરેલીમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાયું હતું.


પોરબંદરમાં શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી, વેરાવળમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી, કેશોદ શહેરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી, ભાવનગરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી, દ્વારકા શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી, ઓખામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી, મહુવા શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી, દીવમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી નોંધાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application