વિશ્વમાં ક્ષણે ક્ષણે કઇકનેકઇક એવા ઘટનાઓ ઘટી રહી હોય છે જેની અસર આજે નહીં તો કાલે સમગ્ર પૃથ્વી - સમાજ અને પર્યાવરણ પર પડે છે.

  • March 12, 2024 01:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્વમાં ક્ષણે ક્ષણે કઇકનેકઇક એવા ઘટનાઓ ઘટી રહી હોય છે જેની અસર આજે નહીં તો કાલે સમગ્ર પૃથ્વી - સમાજ અને પર્યાવરણ પર પડે છે.

એવી જ એક મહત્વની ઘટના તારીખ ૧૪ થી આકાર લઇ રહી છે, જેની વિગતો આ સાથે સામેલ છે. 

ભારત સરકારના કલ્ચરલ મીનીસ્ટ્રી દ્વારા થઇ રહેલ આ કાર્યક્રમમાં સમગ્ર વિશ્વનાં લગભગ દરેક ધર્મ, સંપ્રદાય, સમુહ ના સંતો, મહંતો, પીર, સાધુઓ, ગુરુઓ, મહાત્માઓ “આંતરીક શાંતિ થી વિશ્વ શાંતિ” ની થીમ પર ચર્ચા - વિચારણા, આદાન - પ્રદાન અને પ્રવચન - આશીર્વચન, સંભાષણ - ઉદ્બોધન કરવા એકઠા થવાના છે.

આ કાર્યક્રમનું આયોજન કરી રહેલ અનેક સંસ્થાઓ પૈકી મુખ્ય આયોજક શ્રી રામચંદ્ર મિશન - હાર્ટફુલનેશ ઇન્સ્ટીટ્યુટ્સ છે. 

હાર્ટફુલનેશ ઇન્સ્ટીટ્યુટ્સના ગ્લોબલ ગાઇડ પુજ્ય શ્રી કમલેશ પટેલ કે જે દાજીના નામથી પણ ઓળખાય છે કહે છે “વિશ્વના રહેલ અનેક અશાંતિના દુતો આતંકવાદી પ્રવૃતિ કરવા એકઠા થાય છે એક બીજા માટે મરી પરવારે છે તે જ લોકો પાસેથી શીખ લઇ વિશ્વના રહેલ અસંખ્ય શાંતિના દુતો - ગુરુઓ, સંતો, સાધુઓ, પીર, મૌલાના, પ્રિસ્ટ અને મહાત્માઓએ શાંતિ સ્થાપ્વા ખભેખભા મેળવવા જોઇએ, એકબીજાને અપનાવવા જોઇએ અને એકબીજાને મદદરુપ થવુ જોઇએ અને આમ થશે તો વિશ્વ કઇક અલગ ભવિષ્ય જોશે”

આ સાથે કાર્સક્રમની વિગતો દર્શાવતું પ્રોસ્પેક્ટસ સામેલ છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application