ગીંગણી ગામમાં બિમારીથી કંટાળી વૃઘ્ધાએ જીવાદોરી ટુંકાવી

  • April 05, 2024 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં રહેતી મહિલાએ બિમારીના કારણે કંટાળી જઇ ગળાફાંસો ખાઇને જીવાદોરી ટુંકાવી લીધી છે.


જામજોધપુરના ગીંગણી ગામમાં રહેતા, ખેતમજુરી કરતા જયાબેન રમેશ ઉર્ફે રવજીભાઇ વારસકીયા (ઉ.વ.55) નામના વૃઘ્ધાને જુની તાવની દવા તથા લોહી ઉડી જવાની બિમારી હોય જે બિમારીના કારણે કંટાળી જઇ ગઇકાલે વાડી વિસ્તારમાં ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ થયુ હતું.

આ અંગે ગીંગણી ગામમાં રહેતા રમેશ કાનજીભાઇ વારસકીયાએ જામજોધપુર પોલીસમાં જાણ કરતા પોલીસે પ્રાથમિક વિગતો જાણી કાર્યવાહી આગળ ધપાવી હતી, વૃઘ્ધાના આપઘાતના બનાવથી પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application