અગરીયાઓને વાવાઝોડાએ રોવડાવ્યા બાદ નર્મદાના પાણીની આફત આવી અગરીયાઓની મેહનત પર નર્મદાના પાણી એ પાણી ફેરવ્યું છે. કચ્છના નાના રણમાં પરંપરાગત રીતે અગરીયાઓ મીઠું પકવીને રોજગારી મેળવે છે અને છેલ્લ ા પંદરેક વર્ષોથી નર્મદાના પાણી રણમાં આવે છે અને અગરીયાઓની રોજીરોટી પર પાણી ફેરવી નાખે છે જેનો યોગ્ય રસ્તો કરવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે.
હળવદના માનગઢ અને અજિતગઢ વચ્ચે માળિયા બ્રાંચ કેનાલનું પાણી રણમાં છોડવામાં આવતા અજિતગઢ, માનગઢ, ટીકર, જોગડ, કીડી સહિતના ગામોના અગરના પાટા પાણીમાં ગરકાવ થઈ ગયાં છે અંદાજીત ૫૦૦ થી વધારે મીઠાના અગરના પાટાઓ ઉપર સીધી અસર પડી છે.
રણમાં આશરે ૮ મહિના જેટલો સમય પસાર કરે છે અને હાલમાં ૫ મહિનાની મહેનત ઉપર માળીયા બ્રાન્ચ નર્મદા કેનાલના વેડફાતા પાણીના પગલે અગરના પાટાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો સાથે પાણીથી અગરના પાટા બચાવવા હાલતો અગરીયાઓ માટીથી પાણી રોકવાનો નિષ્ફળ પ્રયત્નો કરી રહ્યા છે.
ટીકર પાસે આવેલ રણમાં આશરે ૨૫ કિલોમીટર એરીયામા પાણી ફરી વળ્યું છે અને હજુ પણ સતત પાણીની આવક ચાલુ છે,એક એક અગરીયાઓને ૧ લાખથી વધુનુ નુકશાન થવાની સંભાવના છે, નર્મદાનું પાણી ફરી વળતા આઠ મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યુ છે.પેટે પાટા બાંધી કાળી મજૂરી ની કમાણી પર પાણી ફરીવળતા અગરીયાઓની પરીસ્થીતી દયયનિય બની છે,સાથે સાથે નર્મદાનું પાણી રણમાં મોટા પ્રમાણમાં આવી જતા વાહન ચાલકોને આવા જવામાં ભારે મુશ્કેલી પડે છે. તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા પાણી બંધ કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોમનાથમાં બિરાજમાન છે શયન મુદ્રામાં મકરધ્વજ હનુમાનજી
April 11, 2025 12:56 PMજામનગર ગ્રામ્ય વિસ્તારમાં તોડ કરતી કથિત પત્રકાર ટોળકી ઝડપાઈ
April 11, 2025 12:49 PMઅસહ્ય ગરમીમાં મુસાફરોને રાહતઃ રાજકોટની તમામ સિટી બસમાં પાણીના જગ અને ORSની સુવિધા
April 11, 2025 12:44 PMજામનગર: ધ્રોલ ગ્રામ્ય PGVCL ના ધાંધિયા સામે આવ્યા
April 11, 2025 12:41 PMજુનાગઢ : ચાંદીની પાલખીમાં નગરચર્યાએ હાટકેશ્વર મહાદેવ
April 11, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech