જૂનાગઢમાં એન.એસ.યુ.આઈ પ્રમુખ નું અપહરણ કરી હત્યાના પ્રયાસ મામલે ગોંડલના પૂર્વ ધારાસભ્યના પુત્ર સહિત૧૦ સામે ફરિયાદ નોંધાઈ હતી પોલીસે ફરિયાદના આધારે તપાસ હા ધરી ત્રણ આરોપીઓને હસ્તગત કરી પૂછપરછ હા ધરી છે આરોપીઓ પાસેી મારામારી અને અન્ય ઈસમો ની સંડોમણી યુવકને માર મારી મોબાઇલમાં વિડીયો ઉતારવા તા હયિારો સહિતના મુદ્દે પૂછપરછ કરી તપાસના ધમધમાટ શરૂ કરાયો છે તેમજ પૂર્વ ધારાસભ્ય ના પુત્ર સહિતના અન્ય શખ્સોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
જૂનાગઢમાં દાતાર રોડ પર એન એસ યુ આઈના પ્રમુખ અને જૂનાગઢ દલિત સમાજના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર સંજય સોલંકી એ ગાડી ચલાવવા બાબતે ઠપકો આપતા દાતાર રોડ પર અજાણ્યા ઈસમોએ માર મારી કારમાં અપહરણ કરી ગોંડલ લઈ ગયા હતા .ત્યારબાદ યુવકને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ના પુત્ર ગણેશ જાડેજાએ તેની કારમાં બેસાડી ગોંડલ તેના ઘરે ગણેશગઢમાં લઈ જઈ પાંચ ી છ માણસોએ હામાં પિસ્તોલ અને લોખંડના પાઇપ સો આવી યુવકને નગ્ન કરી માર મારી તેનો વિડીયો મોબાઇલ ફોનમાં ઉતાર્યો હતો તેમ જ માફી મંગાવી ફરિયાદ કરીશ તો જ મારી નાખીશું તેમ જણાવી યુવકને ભેસાણ ચોકડી પાસે ઉતારી દીધો હતો. સમગ્ર બનાવ મામલે યુવકે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સહિત ૧૦ સામે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે હત્યાના પ્રયાસ એસ્ટ્રોસિટી સહિતની વિવિધ કલમોને આધારે ગુનહો નોંધણી તપાસ હા ધરી હતી.
પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હા ધરી છે તો એલસીબી, એસઓજી અને સનિક પોલીસ સહિતની ટીમ દ્વારા તપાસ દરમિયાન ત્રણ શખ્સોને હસ્તગત કરવામાં આવ્યા છે . યુવકની ફરિયાદના આધારે આરોપીઓએ ગોંડલ લઈ જઈ નગ્ન કરી માર મારી મોબાઇલમાં વિડીયો ઉતારી માફી માગવામાં આવી હતી આ ઉપરાંત બંદૂક તા લોખંડના પાઇપ વડે પણ માર માર્યો હતો જેને આધારે પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ હા કરી છે તેમજ સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજ મેળવવા પણ ચક્રો ગતિમાન કરી પૂછપરછનો ધમધમાટ શરૂ કર્યો છે તો સમગ્ર મામલે ગણેશ જાડેજા તેની શોધખોળ માટે વિવિધ વિસ્તારોમાં પોલીસની ટીમ દ્વારા તપાસ હા ધરવામાં આવી રહી છે. હાલ તો પોલીસ દ્વારા મારામારીનું કારણ તેમજ કોની કોની સંડવણી છે તે મામલે ઝડપાયેલા ત્રણ ઈસમોની પૂછપરછ કરવામાં આવી રહી છે.જોકે સમગ્ર બનાવ મામલે દલિત સમાજ અને જિલ્લ ા કોંગ્રેસમાં રોષ ફેલાયો છે. દલિત સમાજ દ્વારા શનિવારે જિલ્લ ા કલેકટરને આવેદનપત્ર પાઠવી સંજય સોલંકી પર હુમલો કરનાર ઇસમોને ઝડપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી તો બીજી તરફ જિલ્લ ા કોંગ્રેસ દ્વારા પણ એન એસ યુ આઈ પ્રમુખ પર યેલા હુમલાના આરોપીઓને તાત્કાલિક ઝડપી કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસીએનજી પંપએ લાઈનમાં ગેસ પુરાવવા બાબતે માથાકૂટ: ત્રણ ને ઇજા
April 12, 2025 02:48 PMદેશભરમાં UPI સેવા ઠપ્પ, ફોનપે, ગુગલ પે અને પેટીએમમાં લોકોને પેમેન્ટ કરવામાં મુશ્કેલી
April 12, 2025 01:19 PMખંભાળિયા બાલનાથ મંદિરે આજે હનુમાન ચાલીસાના 108 પાઠ
April 12, 2025 01:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech