દ્વારકા, ભાટીયા અને કલ્યાણપુર પંથકમાં માવઠાથી ખેડુતો પરેશાન: ધુમ્મસને કારણે હાઇવે પર વાહન ચાલકો ભારે પરેશાન: શહેરના રસ્તાઓ ભીના થયા
હજુ તો શિયાળો પુરો થયો નથી ત્યાં જ ફરીથી માવઠાના માઠા સમાચાર આવ્યા છે, સતત બીજા દિવસે ગાઢ ધુમ્મસને કારણે બપોર બાદ દ્વારકા, ભાટીયા અને કલ્યાણપુર પંથકમાં કેટલાક ગામડાઓમાં માવઠુ થયું હતું જેને કારણે ખેડુતોને નુકશાની થઇ હોવાનું જાણવા મળે છે.
જામનગર સહિત હાલારના કેટલાક ગામડાઓમાં આજે સવારના ૫ વાગ્યાથી ગાઢ ધુમ્મસ જોવા મળી હતી, જેના કારણે રસ્તાઓ ભીના થઇ ગયા હતાં, હાઇવે ઉપર એટલી બધી ગાઢ ધુમ્મસ હતી કે, ૨૦ થી ૨૫ ફુટ વાહનો દેખાતા ન હતાં, જેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો છે. આજે સતત બીજા દિવસે પણ ભારે ગાઢ ધુમ્મસ જોવા મળી હતી.
આ માવઠાને કારણે તલ, ઘઉં, બાજરી, કપાસ, મગફળી, જીરુ સહિતના પાકને નુકશાન થશે તેવી ધારણા છે, કેટલોક પાક બળી જવાની પણ સંભાવના જોવા મળે છે, જો કે હવે સાચો ખ્યાલ ચાર-પાંચ દિવસ બાદ આવશે એવું લાગે છે.
હાલારના જનજીવન ઉપર ઠંડીની ભારે અસર થઇ છે. આગામી દિવસોમાં હજુ કાતિલ ઠંડી પડશે તેવી હવામાન ખાતાની આગાહી આવી છે ત્યારે લોકોમાં અત્યારથી જ ફફડાટ ફેલાયો છે. લોકોએ એસી, પંખા બંધ કરી દીધા છે અને ઘરમાં પણ તાપણાનો સહારો લીધો છે ત્યારે સતત ત્રણ અઠવાડીયાથી જામનગર સહિત સમગ્ર હાલારમાં ટાઢોડુ યથાવત રહ્યું છે. જેના લીધો જીરાના પાકમાં આગામી દિવસોમાં સારો ફાયદો થશે તેમ ખેતીવાડી નિષ્ણાંતોનું કહેવું છે. જો કે આજે ઠંડીનું પ્રમાણ ગઇકાલ કરતા વઘ્યું છે અને આગામી દિવસોમાં વધુ ઠંડી પડે તેવી શકયતા છે. આજે સવારે આછેરી ઝાકળ જોવા મળી હતી, જો કે હવામાં ભેજ ૯૪ ટકા રહ્યો હતો. આજે સવારથી ગઇકાલ સાંજની જેમ જ ઠંડો પવન ફુંકાતા વોકીંગ કરનારાઓને મુશ્કેલી પડી હતી.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રુમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૧૮ ડીગ્રી, મહત્તમ તાપમાન ૨૮.૫ ડીગ્રી રહ્યું હતું, હવામાં ભેજ ૯૪ ટકા અને પવનની ગતિ ૨૦ થી ૨૫ કિ.મી. પ્રતિકલાક રહી હતી. જામનગર શહેરમાં ચા, કોફી, કાવો સહિતની વસ્તુઓમાં વેંચાણ વધી ગયું હતું, ગામડાઓમાં પણ ઠંડીની અસર જોવા મળી હતી, છેલ્લા બે દિવસથી જામનગરથી બહારગામ જતી એસ.ટી. બસ અને ખાનગી બસોમાં પણ મુસાફરોની સંખ્યા થોડી ઘટેલી જોવા મળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાની પાયલોટ ભારતીય કસ્ટડીમાં, પહેલી તસવીર સામે આવી
May 09, 2025 12:54 AMભારતીય નૌકાદળે કરાચી બંદરનો નાશ કર્યો, 1971 પછી પાકિસ્તાન પર પહેલો દરિયાઈ હુમલો
May 09, 2025 12:45 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech