વાવડી ગામે માવતરે આંટો દેવા આવેલી પરણીતાને ભાભી સાથે ઝઘડો થતાં માઠું લાગવાથી એસિડ પી લઈ આપઘાત

  • April 16, 2024 10:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામમાં પોતાના માવતરે આંટો દેવા માટે આવેલી પરણિતાને પોતાના ભાભી સાથે ઝઘડો થતાં મનમાં લાગી આવ્યું હતું, અને ઘરમાં પડેલું એસીડ પીલઇ  આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે.


આ બનાવની વિગત એવી છે કે જોડિયા તાલુકાના વાવડી ગામમાં રહેતી અને ધ્રોળ તાલુકાના ઇટાળા ગામમાં પરણેલી મધુબેન લાલાભાઇ રાતડીયા નામની ૨૨ વર્ષની ભરવાડ યુવતી કે જે પરમદીને પોતાના માવતરે પ્રસંગ હોવાથી વાવડી ગામે આંટો દેવા માટે આવી હતી.

જે દરમિયાન તેણીના ભાભી સાથે બોલાચાલી થઈ હતી, જેનું મનમાં લાગી આવતાં તેણીએ ઘરમાં પડેલું એસીડ પીલઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવ અંગે પમીબેન છગનભાઈ ટોયટા એ પોલીસને જાણ કરતાં જોડીયા ના પી.એસ.આઇ. બી. એલ. ઝાલાએ મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application